________________ 250. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જણાયાથી એણે ધાર્યું કે સફેદ અંજનના પ્રયોગ વડે આ બને સ્ત્રીઓને કરભી કરેલી છે. તો કૃષ્ણ અંજનથી એમને મૂળ સ્વરૂપે પ્રગટ થતું હશે, એમ વિચારી તરત. જ એણે પેલી સળી વડે કૃષ્ણ અંજન એમની આંખમાં આંક્યું, તે તરત જ તે બન્ને સુંદર મનુષ્ય સ્ત્રીઓ બની ગઈ સુમિત્ર એમને મનુષ્ય સ્વરૂપમાં જોઈ નવાઈ પામતો ને. તેમની કુશળતા પૂછતો બધી હકીકત પૂછવા લાગ્યા. આ બધું છે શું ? તમે કેણુ છે ? ને આ બધું શી રીતે બન્યું ? - સુમિત્રના જવાબમાં એક સ્ત્રી બોલી. “હે સુંદર ! ગંગાનદીની ઉત્તર દિશાએ ભદ્રક નામે શહેર આવેલું છે, ત્યાં ગગાદિત્ય નામે પ્રષ્ટિ રહેતો હતો. તેને સુધારા નામે પત્ની થકી આઠ પુત્ર ઉપર બે પુત્રીઓ અવતરી, એકનું નામ જયા અને બીજીનું નામ વિજયા. એ બન્ને બહેને જ્યારે યૌવન વયમાં આવી, તે સમયે ગંગાના તટ ઉપર એક શર્મક નામે પરિવ્રાજક રહેતો હતો. ક્રિયાવાન અને શૌચ ધર્મમાં તત્પર, બેલવામાં હાજર જવાબી, વૈદક અને નિમિત્તને જાણનાર, બાહ્યથી ઉદાર અને સુંદર આચારવાળે છતાં અંતરમાં ક્રૂર પરિણામી એ પરિવ્રાજકને એક દિવસે પારણાને માટે મારા પિતાએ આમંત્રણ આપ્યું. - પરિવ્રાજકનો સત્કાર કરી બહ માનથી તેને જમવા બેસાડો, પિતાની આજ્ઞાથી અમે બને તેની અને બાજુએ બેસીને પવન નાખવા લાગ્યાં, મનોહર એવી પકવાન, શાક, દાલાદિક ભેજન છતાં અમારા ઉપમા આશ થયેલો તે વારંવાર અમને તો ને નિ:શ્વાસ મૂકતો કિંઈક ચિંતવવા લાગ્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust