________________ 230 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. પિતા ગંધર્વરાજ આવી પહોચ્યા, મારી હકીકત જાણી તે રાજાએ પોતાની પુત્રીને મારી સાથે પરણાવી દીધી. અમે બન્નેયે સુખમાં ઘણે કાલ વ્યતીત કર્યો. એકદા દક્ષિણસમુદ્રને કિનારે ઉદ્યાનમાં અમે ક્રીડા કરવા ગયા. ત્યાંથી મારી પ્રિયા સાથે પાછા ફરી મારા નગરમાં હું જતો હતો ત્યારે માર્ગમાં મારી ફાઈનો પુત્ર સુમેધ નામે વિદ્યાધર મા મને જોઇને ઈર્ષ્યાથી બળતો મારી સામે લડવાને આવ્યો. હું પણ તેની સાથે લડવાને તૈયાર થયે. - દૈવવશાત ચિત્તની વ્યગ્રતાથી વિદ્યાનું એક પદ ભૂલી ગો, જેથી હું ભૂમિ ઉપર પડી ગયો, એ મારી ગફલતને લાભ લઈ તે મારી પ્રિયાને લઈ ચાલ્યો ગયો. હું એ ભૂલેલા પદને ઘણુ યાદ કરું છું પણ યાદ ન આવવાથી ઉડવા જતા વારંવાર ભૂમિ ઉપર પડી જાઉ છું. તે વિદ્યારે પોતાની વાર્તા એ રીતે ટૂંકાણમાં કહી સંભળાવી. - ચંદ્રગતિ વિદ્યાધરની હકીકતથી દુ:ખી થયેલો દેવરથકુમાર બેલો, “ભાઈ! તમારા જેવા સમર્થ પુરૂષની હું શું ઉપકાર કરી શકું. તથાપિ તમારી વિદ્યાને ક૫ તમને જેટલે યાદ હોય તેટલો ભણી જાઓ. - રાજકુમારની મધુર વાણી સાંભળી વિદ્યાધર એ આકાશગામી વિદ્યાને કલ્પ પિતાને યાદ હતો તેટલા ભણ! ગયો. પણ એમાંનો છેલ્લે ભાગ યાદ આવ્યું નહિ, તેથઇ યાદ હતો તેટલો બેલીને અટકી ગયે. પદાનુસારી લબ્ધિથી રાજકુમાર આગળનાં પદ કહી સંભળાવતાં બે બાકીનો પાઠ આ પ્રમાણે છે બોલ્યાથી રાજક કે નહિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust