SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 211 એકવીશ ભવનો સ્નેહસંબંધ ઘરનું સન્માન કર્યું, એને સત્કાર કરી નગરની બહાર એમના સ્થાન માટે રાજાએ વ્યવસ્થા કરી, એક સારા મુદ્દે દેવસેન અને ચંદ્રકાંતાના વિવાહ મોટા આડંબર પૂર્વક થઈ ગયા. વિદ્યાધર માટે પોતાની પુત્રીને કન્યાદાનમાં પુષ્કળ જરઝવેરાત, વસ્ત્રાભરણ વગેરે દિવ્ય વસ્તુઓ આપી. વિદ્યાધર રવિકિરણ કેટલાક દિવસ પછી સુરતેજ રાજાની રજા લઈ પોતાના પરિવાર સાથે પિતાની રાજધાની વૈતાઢથ તરફ ચાલ્યો ગયો ને ત્યાંથી દિવ્ય ભેગોને પોતાની પુત્રી માટે દરરોજ મોકલવા લાગ્યો. દેવસેન પ્રતિદિવસ શ્વસુર તરફથી આવતા દિવ્ય ભેગને ભગવતો દેવસેન કુમાર દેવતાની માફક સુખમાં કાળ -વ્યતિત કરતો હતો લોકે ચંદ્રકાંતા અને દેવસેન કુમારના ભેગોની પ્રશંસા કરવા લાગ્યાં. મનુષ્ય ભવનાં અદ્દભૂત સુખોને તેમના ઐશ્વર્ય જગતમાં એમના ઉત્કૃષ્ટ ભાગ્યની સૂચના કરતાં હતાં, કારણકે પુણ્યશાળી મનુષ્યને પ્રયાસ કરવાની કોઈ જરૂર પડતી નથી ખદ વિધાતાજ નાજરની માફક એની સેવામાં હાજર રહી એના ભાગ્યને યોગ્ય વસ્તુ મેલવી દેવાની તજવીજ કરે છે. દેવસેનના પિતા સુરતેજ નરપતિએ પણ ગુરૂ મહારાજની ધર્મદેશના સાંભળી દેવસેન કુમારને પોતાનું મોટું રાજ્ય અર્પણ કરી દીધુ, તે વિશુદ્ધ પરિણામની ધારાએ ચારિત્રરૂપી રત્ન અંગીકાર કરી આત્મ કલ્યાણ સાધી લીધું. પ્રજાનું ન્યાયથી પાલન કરતા દેવસેન નરપતિ દુજનીને શિક્ષા કરી સજનોનું રક્ષણ કરતાં ધર્મથી પ્રજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy