SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 183 મેં ભક્તિથી વાલિની દેવીની આરાધના કરી હતી. આ બત્રીસ લક્ષણવાળી બાળાના ભેગથી મારી વિધિ પૂર્ણ થતાં મારી વિદ્યાસિદ્ધ થશે તારૂં પણ કામ થશે. કાપાલિકે આ નવજવાનને સમજાવવા પ્રયત્ન કર્યો : અરે મૂઢ ! પાપી ! યોગીનો વેષ ધારણ કરવા છતાંય ચંડાલથી પણ અધિક કુકર્મને તો છોડતો નથી, આવા પાપ કરતાં તું લજજા કેમ પામતો નથી ! આવા તુચ્છ કાર્યથી તારા વતનો તું નાશ ના કર. જીવને ઘાત કરે એ મહા પાપ છે એવું શું તું નથી જાણતો ? આવા પાપ કર્મથી વિદ્યા સિદ્ધ શી રીતે થશે? કુમારે જીવદયાના ઉપદેશ આપી કાપાલિકને પ્રતિબોધ પમાડયો, - ભય અને પ્રીતિને ધારણ કરતો કાપાલિક બે“હે સાહસિક ! હે નરોત્તમ! તેં મને નરકમાં પડતો બચાવ્યો. ગુરૂ પાસે જઈને આ પાપનું હવે હું પ્રાયશ્ચિત કરીશ. વિજ્યાવતીના સ્વામીની આ કન્યા મેં હરી છે આ કન્યા તમે તેના પિતાને આપજે.” કુમારને કન્યા અર્પણ કરીને યોગી ચાલ્યો ગયો. નિધિ કુંડલ. આ કન્યા કેણ હશે? મારું નામ તે શી રીતે જાણી શકે ? શું આ કન્યા પિતેજ પુરંદર્યશા હશે ત્યારે ! કાપાલિકના ચાલ્યા ગયા પછી કુમાર વિચારમાં પડયો પોતાનો સંશય દૂર કરવાને તેણે બાળાને પૂછયું. “બાળા! તારું નામ શું છે તે નિધિમંડલનું નામ યાદ કર્યું તો તું તેને ક્યાંથી જાણે ? શું તું તેને ઓળખે છે કે કુમારનો પ્રશ્ન સાંભળી બાળા વિચારમાં પડી. “આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy