________________ 156 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાએ તરતજ જાતિવિદ પુરૂષોને બોલાવી સારામાં સારૂં મુહર્ત જોવરાવ્યું. ઉત્તમ મુહૂર્તને વિષે રાજાએ મંત્રીઓને કુમારનો રાજ્યાભિષેક કરવાની આજ્ઞા કરી. મોટા મહત્સવ મંડાયા. પિતનપુરે એકવાર ફરીને પાછી - સ્વર્ગની શોભા ધારણ કરી, નવીન વસ્ત્રાભૂષણોથી સજજ થયેલા નાગરિકે મોજમજાહ અને આનંદમાં સમય પસાર કરવા લાગ્યા, બાલથી વૃદ્ધ પર્યત અને રંકથી રાય પર્યત સેવે શું સ્ત્રી કે શું પુરૂષ બધાના મોજશેખ પૂરા કરવા માટે નગરમાં અનેક સ્થળે નાટયગૃહો, ક્રીડા, રમતો, ગાન, તાન અને સંગીતના દેખાવે રાજ્ય તરફથી પેજવામાં આવ્યા હતા. શુભ મુહર્ત રાજા અને મંત્રીઓએ કુમાર કમલસેનનો રાજ્યાભિષેક કરી દીધો. કુમારકમલસેન પોતનપુરના નરપતિ કમલસેન થયા, ત્રણત્રણ મહારાજ્યના - સ્વામી થયા. . શત્રુંજયરાજાએ હવે કર્મરૂપ શત્રુઓને જીતવા માટે શીલંધરગુરૂની પાસે ચારિત્રરૂપી રનને ગ્રહણ કર્યું. મોહ માયારૂપી સંસારની બદીને ત્યાગ કર્યો. એ મહામુને રાજર્ષિ જ્ઞાન, દયાન અને તપશ્ચર્યાથી અષ્ટ કર્મને નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શીવપુરી નગરીને વિષે ગયા, - અજરામર સુખના ભોક્તા થયા. ' મહારાજ કમલસેન ન્યાયથી પૃથ્વીનું પાલન કરતા નવીન ચંદ્રમાની માફક પોતાના પ્રતાપને વધારતા દેવતાની માફક પિતાને કાલ સુખમાં વ્યતીત કરતા હતા, જેન: શાસનની શાભાને વધારતા ને સામ્રાજ્યલક્ષ્મીને ભાગવત તેમનો ઘણે સમય ભોગમાં ચાલ્યો ગયો. તે દરમિયાન મહારાજ કમલસેનને વટવૃક્ષની માફક અનેક પુત્ર પૌત્રાદિક -પરિવાર થયે એમની યુવાવસ્થા વિજળીના ઝબકારાની વારતા ગચ પુત્રી P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust