SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શુકરીજ કથા. 315 પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ થયા. અનુક્રમે તે બંને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. ઇતિ અમરસેન વયરસેન કથા. હવે અક્ષતપૂજા પર શકરાજનનું દષ્ટાંત કહે છે– શુકરાજની કથા. આ ભરતક્ષેત્રમાં વિવિધ આરામથી મનહર એવું શ્રીપુર નામે એક રમણીય નગર છે. ત્યાં બાહ્ય ઉદ્યાનમાં સ્વર્ગના પ્રાસાદ સદશ શ્રી આદિનાથનું ચૈત્ય હતું. તે શિખર પરની ચંચળ છેવાના મિષથી લોકોને બોલાવતું હતું અને શિખર પર રહેલ કળશ લોકેને આ પ્રમાણે સૂચના કરતા હતા કે –“તેજે કરીને દેદિપ્યમાન એવા આ એકજ સ્વામી સંસારતારક અને સર્વજ્ઞ છે, માટે હે ભવ્ય જન! એને ભજે, એ પ્રભુ ભવસાગરમાં નાવ સમાન છે, માટે એની સેવા કરે.” તે ચૈત્યમાં ઘણા લોકે પ્રભુને નમસ્કાર કરવા આવતા હતા. તે પ્રાસાદની પાસે એક મેટું આમ્રવૃક્ષ હતું. તે વૃક્ષ પર એક સ્નેહવાળું શુકયુગલ રહેતું હતું. એકદા શકીએ શુકને કહ્યું કે-“હે પ્રાણનાથ ! મને દેહદ ઉત્પન્ન થયે છે, માટે તમે શાળિક્ષેત્રમાંથી એક શાળિશિર્ષક (શાળની સીંગ) લાવી આપે.” શુક બોલ્યો કે“હે કાંતે! એ ક્ષેત્ર શ્રીકાંત રાજાનું છે. એ ક્ષેત્રમાંથી એક કણસલું પણ જે લેય તેનું શિષ રહે તેમ નથી.” એટલે શુકી બલી કે-“હે કાંત ! તમારા જેવો બીજે કઈ કાયર નહિ હોય કે જે પોતાની પ્રિયા દેહદ ન પૂરાવાથી મરણ પામતી હોય છતાં પોતાના પ્રાણુના લેભથી તેની ઉપેક્ષા કરે. આ પ્રમાણે સાંભળી લજિજત થઈને પિતાના જીવનની દરકાર ન કરતાં તે શાળિક્ષેત્રમાં જઈને કણસલું લઈ આવ્યો. અને પિતાની પ્રિયાને દેહદ પૂર્ણ કર્યો. પછી તે રાજપુરૂ રખવાળા છતાં પ્રિયાના આદેશે તે શુક પ્રતિદિન શાળના કણસલાં લઈ આવતું હતું અને તે અને તેનું ભક્ષણ કરતા હતા. એકદા શ્રીકાંત રાજા શાળિક્ષેત્ર જેવાને આવ્યું, ત્યાં સર્વત્ર .PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy