SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ કર્માદાન સ્વરૂપ.. 147 પાત્ર બનાવવા અને ઇંટે તથા ચુને પકવે–તેનાવડે આજીવીકા કરવી તે અંગારકમ કહેવાય છે. - બીજું વનકર્મ–તે છિન્ન, અછિન્ન વનના પત્ર, પુષ્પ અને ફળને વિક્રય તથા કણેનું દલન એ રૂપ વૃત્તિ તે વનછવિકા. એટલે છિન્ન, અછિન્ન વનસ્પતિ, પત્ર, પુષ્પ, કંદ, મૂળ, ફળ, તૃણ, કાષ્ઠ, કંબા, વાંસ વિગેરેને વિક્રય કર, વન કપાવવા, ધાન્ય દળાવવાં એ કર્મથી જે આજીવિકા કરવી–તે વનકર્મ.. આ ત્રીજું શકટ કર્મ–તે શકટ તથા તેનાં સાધને ઘડવાં અને ખેડવા યા વેચવા તે શકટાજીવિકા. એટલે શકટ તથા શકટના સાધનેને બનાવીને વેચવા-ખેડવા વિગેરેથી આજીવિકા ચલાવવી તે શકટ કર્મ.. ચોથું ભાટક કર્મ–તે શકટ, વૃષભ, હાથી, ઉંટ, પાડા, ખર, ખચ્ચર અને અશ્વાદિપર ભાર ભરી તેનાવડે વૃત્તિ ચલાવવી તે ભાટકાછવિકા. એટલે શકટ, વૃષભ, મહિષ, હાથી, ખર, ખચર, અને અશ્વ વિગેરે જનાવર રાખી ભાડું લઈને તેમની પાસે ભાર વહન કરાવે તે ભાટક કર્મ. પાંચમું ફેટક કર્મ–તે સરેવર અને કૂપ વિગેરેનું ખનન, પૃથ્વીકાયના આરંભરૂપ પથ્થરને ફૂટવા-ઘડવા વિગેરેથી જીવન ચલાવવું તે ફેટકાછવિકા. અર્થાત્ જવ, ચણા, ઘઉં અને સાળ વિગેરેના સાથે, દાળ, આટે અને તંદુલ (ચેખા) કરવા; ખાણુ, સરોવર અને કુવાને માટે ભૂમિ ખેરવી, હળ ખેડવા અને પાષાણ ઘડવા વિગેરે કર્મ તે સફેટ કર્મ. એ પાંચ કર્મો ત્યાજ્ય છે. હવે પાંચ વાણિજ્ય કહે છે. આ પ્રથમ દંતવાણિજ્ય-તે દાંત, કેશ, નખ, અસ્થિ, ચર્મ, રેમ-એ ત્રસજીવના અંગે પાંગને વેપારને માટે બજારમાંથી ખરીદવા તે. એટલે બજારમાંથી બહાથીના દાંત, ઘુડ અને વાઘ વિગેરેના નખ, હંસ વિગેરેના રોમ, મૃગાદિકના ચર્મ, ચમરી ગાયનાં પુછ શંખ, શૃંગ, છીપ, કેડી કસ્તુરી વિગેરે હિંસક માણસ પાસેથી લેવા . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy