SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ તેના પ્રમાદ ન કર વગતિને લાલ 146 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર, પીસવાનું, રાંધવાનું અને પિરસવાનું સર્વ કામ લેંગ્યું. એટલે તે પ્રમાદથી અને પૂર્વ કર્મના વશથી દુઃખી થયે. - “હે ભવ્ય જન ! આ દષ્ટાંતને સિદ્ધાંતમાં જિનેશ્વરેએ જે ઉપનય દર્શાવેલ છે તે એકાગ્રતાથી સાંભળો-શ્રેણી તે ગુરૂ સમજવા અને પુત્રે તે સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરતિ–એમ અનુક્રમે જાણવા. મૂળનિધિ (પુંછ ) રૂપ ત્રણ રત્નો -તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમજવા. ત્રણ પ્રકારના જીવે તે રત્નવડે વ્યાપાર કરવા માટે મનુષ્યભવ નગરમાં આવે છે. તેમાં જે પ્રમાદ ન કરતાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ કરે છે તે સર્વવિરતિ છ દેવગતિનો લાભ પામે છે. બીજા પ્રકારના છ જેઓ અપ્રમાદથી વ્યાપાર કરીને મૂળનિધિ (પુંજી) ને બચાવ કરે છે તે ફરીને મનુષ્યભવ પામે છે અને સુખભેગ ભોગવે છે. ત્રીજા પ્રકારના જીવે બહુ પ્રમાદથી–નિદ્રા અને વિકથાથી સંકલિત થઈ મૂળ પુંજીને હારી જાય છે તે રેરવ નરકને પામે છે. મા, વિષય, કષાય, નિદ્રા અને વિકથા–એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. માટે મનુષ્યભવ પામીને ધર્મમાં પ્રમાદને ત્યાગ કરો. વળી “મહા આરંભથી, મહા પરિગ્રહથી, માંસાહારથી અને પંચંદ્રિય જીવના વધથી પ્રાણીઓ નરકે જાય છે. જેઓ નિ:શીલ, નિવૃત, નિર્ગુણ, દયારહિત અને અ૯પ પણ પચખાણ રહિત હોય છે તે મરણ પામીને નીચે સાતમી પૃથ્વીએ અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નારકપણે ઉત્પન્ન થાય છે.” મહા આરંભ તે પંદર કર્માદાનરૂપ છે તે કર્માદાન આપ્રમાણેઅંગાર કર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, ફેટકકર્મ, દંતવાણિજ્ય, લાક્ષાવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય અને વિષવાણિજ્ય, યંત્રપલન, નિલાં છન, અસતીપષણ, દવદાન તથા સરાષણ એ પંદર કર્માદાન તજવા લાયક છે. તેમાં પ્રથમ અંગારકમ આ પ્રમાણે –અંગારાની ભઠ્ઠી કરવી ? (કેયલા પાડવા), કુંભાર, હાર, અને સુવર્ણકારનું કર્મ, ધાતુનાં P.P. Ac. Gunratnasuri M6. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy