SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( 81 ) મેહનચરિત્ર સર્ગ . એક વખતે પ્રભાતમાં મેહનજીએ મનમાં ભાવના કરી તે આ રીતે કેઆ સંસારમાં જીને સુખ તે શું ?" દરિદ્રી હોય અથવા પિસાદાર હોય, કાયર હોય કે શૂરવીર હોય, મૂર્ખ હોય અથવા ઘણો ચતુર હોય, તો પણ એ બધામાં કોઈને વિષે પરિપૂર્ણ સુખ દેખાતું નથી ! જો દ્રવ્ય, સુખને હેતુ હોત, તો આવા કુબેરભંડારી સરખા શેઠિયા લેકો પણ અનેક જાતના દુખથી હમેશાં કેમ પીડા પામત. નિધન લેકે ધનની ઈચ્છા કરે છે, નબળા લેકે બળને ઇચ્છે છે, અને રોગી લેક રોગ મટાડવા ચાહે છે, એ રીતે તૃષ્ણાથી કોણ નથી ઠગા ? સંતોષ જેવું સુખ નથી, જીવને અભય આપવા જેવું બીજું કોઈ દાન નથી, અને દયાસમાન ધર્મ નથી, એ તત્ત્વ સત્પષોને માન્ય છે. સુધા, તૃષા, કામવાસના વિગેરે વેદનાઓને મટાડવી, તેજ જીવ સુખ માને છે. તેથી જીવનું સ્વાભાવિક સુખ ઢંકાયેલું છે, તે જણાતું નથી. માટે જે પુરુષ પુરાલિક સુખઉપરની પ્રીતિ છેડીને આત્માને વિષેજ રત થાય છે, તે પિતે તરીને બીજા ભવ્યજીવોને પણ તારે છે. માટે જગતમાં તેને ધન્ય છે.” 108-114. आलोच्यैवं पुनरसौ तीर्थयात्राविधित्सया / विहर्तुमैच्छत्पूर्वस्यां पूर्वपुण्यसमीरितः // 115 // એવી ભાવના કરી રહ્યા પછી મોહનજીને પૂર્વભવમાં ઉપાર્જેલા પુણ્યની પ્રેરણાથી બીજીવાર તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ, ત્યારે પર્વદિશા તરફ વિહાર કરવાને તેમણે ઈરાદો કર્યો. 115. गुणेषु पक्षपातित्वा-चिरं परिचयादपि / मोक्तुं न मोहनं शेकुर्लक्ष्मणाख्यपुरस्थिताः // 116 // સારા ગુણને વિષે પક્ષપાત હોવાથી તથા ઘણા વખતનો પરિચય હતો તેથી લખનાના રહીશ લેકે મોહનજીને એકાએક છેડી શક્યા નહીં. 116. बाष्परुद्धगलान्सोऽथ भव्यान्मधुरया गिरा।. . बोधयन्निरगाच्छीघ्रं लक्ष्मणाख्यात्पुरादसौ // 117 // - પછી આંસુથી જેમનું ગળું બંધાઈ ગયું એવા ભવ્યલે કોને મધુર વચનથી બાધ કરતા મેહનજી સારો દિવસ જોઈને લખનૌથી વિદાય થયા. 117 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy