________________ ગીતામાં એને યજ્ઞોમાં–સર્વશ્રેષ્ઠ યજ્ઞ કહ્યો છે. જપ કરવાથી સતત ધ્યેયનું સ્મરણ રહી શકે છે; તેમજ એની સાધના કરવામાં એકાગ્રતા કેળવાય છે અને અંતે એયની સિદ્ધિને વરાય છે. - બીજમંત્ર એવો હોવો જોઈએ જેનાથી પ્રેમની ભાવના સ્પષ્ટ થાય. જે પ્રેમની ભાવના, બીજમંત્રથી સ્પષ્ટ ન થતી હોય તે સાધક માટે તે બીજમંત્ર અઘરે, ગૂંચવણભર્યો અને નિરર્થક પણ બની જવાને સંભવ રહે છે. અંબા કે ભવાની પાછળ સ્ત્રી શકિતરૂપે માતાની પૂજાને ભાવ રહે છે અને “જય જગદંબા” બીજમંત્ર એની ભાવનાને અનુરૂપ છે. માતા તો જગતનું પાલન કરનારી હોય અને વિશ્વ–માતા તે કોઈનું બલિદાન કે લોહી ન ઇચછે. ત્યારે જય જગદંબા કહીને તેના નામે બકરા- ઘેટાં કે પાડાનું બલિદાન દેવાતું હોય તો એ બીજમંત્ર નિરર્થક બનીને રહી જાય છે. આ તો એક દાખલો આપ્યો છે કે કેવી રીતે ભાવનાને અનુરૂપ બીજમંત્ર ન હોવાથી કેટલી હદે તદ્દન વિરૂદ્ધ પ્રવૃત્તિ તેના નામે ચાલી શકે છે ! ગતના જુદા જુદા ધર્મો કે સોએ પોતપોતાના બીજમંત્ર રાખ્યો છે. જેને “અહદંભ્યો નમઃ” કે “ૐ નમઃ સિદ્ધભ્ય " છે. વિષ્ણુનો "3 નમઃ વાસુદેવાય " છે. શોને “ૐ નમઃ શિવાય” છે. વૈદિકને "3" કેવળ છે. સર્વોદય સમાજનો “ય જગતું.” તેમજ સત્ય સમાજનો “જય સત્ય” છે. ત્યારે વિશ્વવાત્સલ્ય માટે >> મૈયા” બીજમંત્ર છે. ઉપર બતાવી ગયા તે પ્રમાણે જુદા જુદા આટલા બધા બીજમંત્રો હોવા છતાં આ નવો બીજમંત્ર શા માટે મૂક્યો ? એ સવાલ ઊભો - થશે. તે અંગે જે વિચારણા કરવામાં આવે તો જરૂર તેનું સમાધાન થઈ શકે. : : : ' , , સત્ય સમાજના " જય સત્ય માં સત્ય ભગવાનને જ્ય આવે છે પણ ભગવતી અહિંસાને જય આવતો નથી. ભગવતી અહિંસા વગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust