________________ સત્ય ભગવાનનો જ્ય કેમ થઈ શકે એ અધૂરું લાગે છે. ખુદ સત્ય ભકતજીએ બનાવેલ ધર્માલયમાં સર્વધર્મોના સંસ્થાપકોની મૂર્તિઓ ઉપરાંત ભગવાન સત્ય અને ભગવતી અહિંસા બન્નેની પ્રતીક મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. જે ત્યાં ભગવતી અહિંસાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું હોય તો પછી બીજમંત્રમાં શા માટે નહીં! એટલે બીજમંત્ર ધ્યેયની ભાવનાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરતો નથી. " સર્વોદયને બીજમંત્ર “જય જગત” છે; એટલે કે જગતને જ્ય થાવ! હવે જગતને મિથ્યા માનવામાં આવેલ છે તો એના જ્યની કલ્પના કઈ રીતે થઈ શકે ! સંત વિનોબાજીએ “ત્રહ્મ સત્યે નષ્ણુર્તિઃ કરનું સત્ય શોધનમ્એવું એક સૂત્ર બનાવ્યું છે. એમાં જગતને તેમણે ફૂર્તિદાયક કહ્યું છે. અને જીવનને સત્યની શોધ માટે રજૂ કરવામાં આવ્યું છે. આ જગત ટૂર્તિદાયક ત્યારેજ બની શકે જ્યારે જગતમાં વાત્સલ્યાદિ ગુણ પ્રવર્તે. તો જ એવા જગતને જય થઈ શકે. આમ એમાં પણ ભાવ અસ્પષ્ટ છે. . એવી જ રીતે શિવ, વાસુદેવ, અરિહંત કે સિદ્ધ ને નમસ્કારમાં તેઓ આપણુથી ઊંચા છે એવો ભાસ થાય છે. એટલે એમનામાંથી પ્રેરણાની ભાવના મેળવવાનો સંભવ ઓછો છે. પ્રેરણું તે ત્યારે જ મળે જ્યારે તેમની કર્તવ શક્તિને ભાસ થાય. યેન કેન પ્રકારેણ જે તેમની કર્તવ શકિતનો ભાવ તારવીએ તે શિવની સંહાર શકિત; વિષ્ણુની પાલન શકિત; બ્રહ્માની સૃજન શક્તિ, અરિહંતની વીતરાગ શક્તિ–સિદ્ધની નિરપેક્ષ શક્તિ-એજ ભાસ થાય છે. આમાં દરેકની એક એક શકિતને આભાસ પ્રતિબિંબિત થાય છે. પણ, ">> મૈયામાં વિશ્વની સર્વ શક્તિઓનો સર્વાશે ભાસ થાય છે. એટલે વિશ્વ વાત્સલ્યના બીજમંત્ર તરીકે છે. મૈયા અને પસંદ કરવામાં આવેલ છે જેમાં બધા ભાવો રહેલા છે. તેમાં ક્યા કયા ભાવો રહેલા છે તે અંગે વધુ વિચાર કરે જરૂરી થશે. - - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust