________________ 62 સકામ વૃત્તિ સહન–આ બાબતો તે સુસંગઠન દ્વારા પ્રયોગમાં મૂક્યા પછી જ થઈ શકે. એનું આચરણ તે સુસંસ્થાઓ દ્વારા ઘડતર વ થઈ શકે એ તો સ્પષ્ટ હકીકત છે. લોકનીતિની ત્રીજી નિષ્ઠા માટે " નિરપેક્ષ લોકશક્તિ”ની જે છેલ્લી વાત કરવામાં આવી છે તે અંગે કોઈ પણ પ્રયોગ કે યોજના કર્યા વગર તે લોકોના ગળે ઊતરે એ જરા વધારે પડતું છે. એના માટે તે જ્યાં જ્યાં હિંસા, અન્યાય અને અત્યાચાર થાય ત્યાં હિંસાના બદલે અહિંસાના પ્રયોગ કરીને બતાવવા જોઈએ. એમ ન થાય તે બીજા અનિટ અને અરાજકતા પ્રસરવાનો મોટો ડર રહે છે. રાજ્યના હાથમાં વ્યવસ્થા કરવાનો અધિકાર લોકોએ આપ્યો છે. હવે કોઈ પણ પ્રકારને દંડ ન રહે એવું વિધાન કરનારાઓએ જોવું જોઈએ કે કોઈ પણ સ્થળે હિંસા ફાટી ન નીકળે તેના ઉપાયો કાર્યકરોએ કરવા જોઈએ અને જે તોફાનો ફાટી નીકળે તો ત્યાં હોમાવા માટે જવું જોઈએ; અને તપત્યાગ વડે શાંતિ સ્થાપિત કરવી જોઈએ. જેથી રાજ્યને (સરકાર). કાયદે, કાનૂન, કોર્ટ, પોલિસ, લશ્કર, શસ્ત્રાસ્ત્રો વ. દંડશક્તિને પ્રયોગ ઓછામાં ઓછો કરવો પડે એવી ભૂમિકા જનતામાં ઊભી કરવી જોઈએ. લવાદી પ્રયોગ દ્વારા ઝઘડાઓ પતાવવા જોઈએ, શુદ્ધિપ્રયોગ દ્વારા અહિંસક પ્રતિકાર, અન્યાય નિવારણ માટે કરવો જોઈએ તેમજ ઘડાએલી શાંતિસેના દ્વારા હુલ્લડે વખતે શાંતિ સ્થાપિત કરાવવી જોઈએ. આ બધા કાર્યક્રમો વડે લોકોની હિંસાના બદલે અહિંસા ઉપર નિષ્ઠા !! વધારવી જોઇએ. - આ બધા ઉપર બતાવેલા પ્રયોગ વિધવાત્સલ્યના પ્રયોગકારોએ નાનકડા પ્રદેશમાં સુસંગઠન દ્વારા કર્યા છે–અને દંડનિરપેક્ષ લોકશકિત ઊભી કરી છે. વિશ્વ વાત્સલ્યના એ પ્રયોગકારોને શ્રદ્ધા છે કે જે એવા જ પ્રયોગ સર્વોદયી કાર્યકરે પણ કરે તે જ દંડનિરપેક્ષ લોકશકિત ઊભી કરી શકે. વિનોબાજીએ જે નિષ્પક્ષ સમાજની કલ્પના કરી છે તેને પ્રયોગ ભા. ન. કાઠા પ્રાયોગિક સંઘે સત્તાથી પર થઈને સિદ્ધ કરી બતાવ્યો છે. તેમજ વિરોધી પક્ષ અને નિષ્પક્ષ સમાજની જે ક૯પના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust