________________ 361 અને શિક્ષણ –-લોકસંગઠન અને લોકસેવક સંગઠનને મળે તે માટે સતત પ્રયાસ ચાલુ રાખ્યો છે. વિશ્વ વાત્સલ્ય પ્રયોગના પ્રેરક મુનિશ્રી સંતબાલજીએ પણ એથી વધારે વખત ઉપવાસ કર્યા છે. મુંબઈ રાજ્ય પસાર કરેલો નવો ગણોતધારે જેમાં ખેડૂત તરફ અન્યાય થતો હેઈને સરકારની સામે પ્રેમપૂર્વક કાનૂનભંગ કર્યા સિવાય 8 મહિના શુદ્ધિ પ્રયોગ ચાલ્યો હતો. આમ સત્તા ઓછી કરવા માટે સર્વોદયે પણ નક્કર કાર્યક્રમો ગોઠવી દેશને આપવા જોઈએ.' એ ઉપરાંત સર્વોદયે સત્તાના વિદ્રીકરણની વાત રજૂ કરી પણ તે અંગે જના આપી નથી. ત્યારે વિશ્વ વાત્સલ્ય-પ્રયાગ પાસે સત્તાના વિકેન્દ્રીકરણ માટે સમૂહ (ગૃપ) ગ્રામ પંચાયતવાળી ગ્રામ સંગઠનની યોજના ઘડેલી છે. 1956 માં પંડિત જવાહરલાલ નેહરૂ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેને રજૂ કરવામાં આવી હતી અને તેમણે એ એ યોજના પસંદ કરી હતી. એ યોજના પ્રમાણે 7 ગામ અથવા ૫૦૦૦ની જનસંખ્યામાં 1 પંચાયત હેવી જોઈએ. આનાથી ચૂંટણીના અનિષ્ટ દૂર થાય. ચૂંટણીમાં કોમવાદ, જાતિવાદ કે ભાઈ-ભત્રીજાવાદ પ્રવેશે છે તેને આમાં પ્રવેશ સંભવ નથી. આવી 20 ગ્રામ પંચાયત મળીને એક તાલુકા પંચાયત (35 ગામ કે 1 લાખની વસતી પાછળ ) બને. 5 તાલુકા પંચાયત (5 લાખની પાછળ) એક પ્રાદેશિક પંચાયત બને. અને 10 પ્રાદેશિક પંચાયતો ઉપર એક કમિશ્નર રહે જેને સીધો સંબંધ કેદ્રીય સરકાર સાથે રહે. કેંદ્રીય સરકારના હાથમાં મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર તથા મોટાં નગરો તથા રાષ્ટ્રરચનાના કેટલાક મહત્વના પ્રશ્નો રહે. આ રીતે સત્તાના વિકેન્દ્રીકરણની યોજના અમલમાં આવે તે નીચેથી સત્તા ઉપર સુધી ચાલે, લોકઘડતર પણ થાય અને ચૂંટણીનાં અનિષ્ટો અને મોટા ખર્ચાઓ પણ ટળી જાય. આને પ્રયોગાત્મક બનાવવાની વાત સર્વોદયમાં નથી. ત્યારે વિશ્વ વાત્સલ્ય પ્રયોગ પાસે છે. તે ઉપરાંત લોકનીતિની નિષ્ઠા માટે ત્રણ વાત સર્વોદયે રજૂ કરી છે. જેમાં (1) અહિંસા, સત્ય, અસ્તેય (2) નિષ્કામ સેવા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust