________________ 363 વિનોબાજીએ મૂકી છે તેને પૂરક–પ્રેરક બળ માનીને પ્રાયોગિક સંઘ કામ કરવા માટે પ્રેરાય છે. રાજ્યની શુદ્ધિ અને પુષ્ટિનું બમણું કામ .એ કરે જ છે. સાર એ છે કે જે વિચાર સર્વોદયના આધુનિક પ્રેરકોએ, રાજનીતિ. વિષે મૂક્યા છે, તેને વિશ્વ વાત્સલ્યના પ્રેરકો અમલમાં લાવી સક્રિય રૂ૫ આપે છે. એટલે સર્વોદય અને વિશ્વ વાત્સલ્યમાં વિચારમાં ઝાઝો ફેર રહેતો : નથી. કયાંક ફેર રહે છે તેને સર્વોદય એક યા બીજી રીતે, સાચું લાગ્યા. પછી સ્વીકાર કરે છે અને કરશે. મૂળ ફરક રહે છે આચારને. સર્વોદયના પ્રેરકે આ દૃષ્ટિકોણ સમજી જે કંઈ તત્વ ખૂટે છે તેની પૂર્તિ, વિધવાત્સલ્યની રીતે કરી, કામ કરશે તે સર્વોદય અને વિશ્વ વાત્સલ્ય એક વ્યાસપીઠે રહીને કાર્ય કરી શકશે, અને એથી દેશ અને દુનિયાને મોટો લાભ થશે. સત્તા માટે તે બને નિરપેક્ષ છે. સર્વોદય, સત્તાસીને કોગ્રેસ. પક્ષના સિદ્ધાંતોને અંજલિ આપવા છતાં તેને મતદાન માટે નિશ્ચિત બનાવી શકતો નથી. જ્યારે વિશ્વ વાત્સલ્ય તેને નિશ્ચિત કરવાની. પ્રક્રિયા વર્ષોથી આદરી છે. અને જ્યાં રાજ્ય શાસન પક્ષ (કોંગ્રેસ) સિદ્ધાંત ભંગ કરતા દેખાય છે ત્યાં પ્રેમપૂર્વક વિરોધ, સમજૂતી અને અહિંસક શુદ્ધિ પ્રયોગ દ્વારા તેને અટકાતવા અને સિદ્ધાંત ઉપર સ્થિર રાખવાનો પ્રયાસ કરે છે. સર્વોદય નિષ્પક્ષ કે પક્ષાતીતતાના નામે બધાય પક્ષોને ગોળ અને બળની જેમ એક સરખા ગણી. શંભુમેળો ઊભો કરવાને પ્રયાસ કરે છે, ત્યારે વિશ્વ વાત્સલ્ય સંસ્થાઓને પાયે પ્રેરક બળ અને ઉછેરના મૂળભૂત ફરકને ઊંડાણથી સમજીને કોંગ્રેસ પક્ષમાં જનતા અને જનસેવકોના સંગઠનરૂપે પૂરક પ્રેરક બની તેની શુદ્ધિ–પૃષ્ટિ કરી, ઉપરોકત રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ સક્રિય લાવવા. મથે છે. આ છે સર્વોદયને રાજનૈતિક દ્રષ્ટિકોણ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust