________________ [16] સર્વોદયને રાજનૈતિક દ્રષ્ટિકોણ [6-11-11] મુનિશ્રી નેમિચંદ્રજી અને શ્રી દુલેરાય માટલિયા (1) મુનિશ્રી નેમિચંદ્રજી સર્વોદયના વિચારનું ખેડાણ મહાત્મા ગાંધીજીએ જુદા જુદા પ્રયોગ વડે કર્યું. અને તેમના અવસાન પછી વિનોબાજીની પ્રેરણા અને સ્કૂરણથી સર્વોદયમાં નવો વળાંક આવ્યો અને ભૂદાન વગેરે કાર્યક્રમો ચાલ્યા. આ કાર્યક્રમમાં વિનોબાજીની વિચારશકિતનો પ્રશ્ન છે; તે બહુ વ્યાપક છે એ જોવામાં આવ્યું. પણ, જે એ વિચારોની પ્રયોગશકિત ઊભી ન થાય, અગર તો એ વિચારે પ્રયોગમાં લોક ઘડતરની સાથે મૂકવામાં ન આવે, ત્યાં સુધી એ વિચારે બહુ જ ઊંચા હોવા છતાં; પ્રયોગ વગર વિચાર માત્ર રહી જાય છે. એટલે આજના સર્વોદયમાં પ્રયોગો ન થયા; તેને સંગઠિત રૂપે આપવામાં આવ્યું નહીં. એટલે સર્વોદયમાં જે મોટું ખૂટતું તત્વ હતું તે છે “આચારનિષ્ઠા.” આ અંગે આ અગાઉ ચર્ચાઈ ગયું છે. અહીં સર્વોદયની રાજનૈતિક દૃષ્ટિ અંગે જરા વિચાર કરવાનું છે. સર્વોદયમાં રાજનીતિ અંગે વિનોબાજીનાં વિચારો પણ બહુ જ વ્યાપક છે. પણ તે ભૂમિકાએ પહોંચવા માટે વ્યવસ્થિત કાર્યક્રમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust