________________ 353 અને પ્રયોગોના અભાવે તે મનની કલ્પના માત્ર બનીને રહી જાય છે, એ અંગે એક દાખલો જોઈએ. સર્વોદયમાં “શાસનમુક્તિ” અને " શાસન નિરપેક્ષતા અને નિર્દેશ કરવામાં આવ્યા પણ કાર્યકરે એમાં ઊંડા ઊતરીને વિચારતા નથી તેથી જનતા આગળ શાસનમુક્તિને વિચાર મૂકે છે. સત્તાસીન સરકાર (શાસન)ને વેટ આપવા જનતાને ના પાડે છે; શાસનથી અલગ રહેવાની વાત કરે છે પણ કોઈ નિશ્ચિત પ્રયોગ કે કાર્યક્રમની વ્યવસ્થા વગર જનતા રેજ-બ-રોજના જીવનમાં આવી પડેલા રાજકારણના પ્રશ્નોથી ઘડાતી નથી. એટલે ઘણી વાર બને છે એમ કે છેવટે રાજ્ય કે રાજનીતિ દાંડ તેના હાથમાં રમી જાય છે. અહીં વિચારવાનું એ છે કે સર્વોદયનો રાજનૈતિક દ્રષ્ટિકોણ, વિશ્વ વાત્સલ્ય કે કલ્યાણરાજ્યની સાથે ક્યાં ક્યાં બંધ બેસે છે? ક્યાં કેટલો સમન્વય થઈ શકે ? કોણ કયાં કેવી રીતે કેટલી પૂર્તિ કરે ? આ બધું ઊંડાણથી વિચારવાનું છે.. સર્વોદયના રાજનૈતિક વિચારનું મુખ્ય સૂત્ર છે : “રાજનીતિને બદલે લોકનીતિ જોઈએ !" આપણું દેશમાં તો શરૂઆતથી રાજા : રાજ્ય કરતા હતા અગર તે ગણતંત્ર ચાલતું હતું કે સમવાયી તંત્ર ચાલતું હતું. ત્યારથી જ લોકોની નીતિ પ્રમાણે રાજ્ય ચાલતું હતું. રાજા રાજ્યને અધિકારી રહેતો પણ, એ અધિકાર એને પ્રજા અને પ્રજાસેવકો (બ્રાહ્મણ)ની સમ્મતિથી અને ઋષિમુનિઓના અભિપ્રાયથી મળતું હતો. એટલે રાજા નિરંકુશ અત્યાચારી કે આપખુદ બની જતો ત્યારે પ્રજા એના ઉપર દબાણ લાવી અંકુશ મૂકતી કે તેને પદભ્રષ્ટ કરતી.. રામને દેબીના એકવચનના કારણે સીતાને વનવાસ આપવાની ફરજ પડી. એ લોકનીતિનું દબાણ હતું. બેબીને આશય એ હતો કે પ્રજાની સ્ત્રીઓ પણ “સીતાને રાવણને ત્યાં ભલે પરાણે રહેવું પડ્યું;” પણ એવા બહાના તળે રવછંદ ન બને. એટલે રામ પોતાના જીવન ઉપર. 23. ; P.P. Ac. sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust