________________ 343 આવી શક્યા. બધા યે પ્રાંતમાં કાર્યકરોની લગભગ આ સ્થિતિ છે. એટલે આજે સર્વોદયના કાર્યક્રમોમાં વિચારનાં તો બરાબર છે પણ લોકસંગઠને દ્વારા પ્રયોગ, ઘડતર અને સંગઠને સાથે અનુબંધના તો ખૂટે છે. વિશ્વ વાત્સલ્ય-પ્રયોગ અને સર્વોદય પ્રયોગ એ બે ઘડાઓ છે. ફેર એટલો જ છે કે એક ઘોડો આચારમાં ખૂટતાં બીજા તોને પૂરે છે; બીજો પૂરતો નથી. જે સર્વોદયના કાર્યકરે તૈયાર હોત તો લોકશકિત ઊભી કરી શકાત અને સંગઠન દ્વારા ઘડતર કરી શકાત. બાકી આધુનિક સર્વોદયના પુરસ્કર્તા સંત વિનોબાજીના કાર્યક્રમોની આંતરરાષ્ટ્રિયક્ષેત્ર ઉપર અસર થઈ છે એ એના પ્રબળ નિશ્ચય, વિચારતત્ત્વને દર્શાવી જાય છે. ભૂમિદાન, શાંતિસેના, એકતા પરિષદ, અવિકસિત દેશોને મદદ એ ચાર કાર્યક્રમો, વિશ્વના મોરચે એક યા બીજી રીતે સ્વીકારાયાં છે. એવી જ રીતે વિશ્વના સાધુઓને એક થવાની, શાંતિસેનાની આવશ્યકતા, પક્ષમુકત સેવાદળની, ગ્રામસ્વરાજ્યની (વિકેન્દ્રીકરણ દ્વારા) ટોચ મર્યાદા. આ વાતાએ ઘાટ પકડ્યો છે. હવે તો વિનોબાજીના વિચારોની છણાવટ કરી, આચારમાં ક્યાં ખામી રહે છે, એ આપણે બધાએ મળીને દૂર કરવાની છે. આમ કરીશું તો સર્વોદયના કાર્યક્રમોમાં ખૂટતાં તો આપણે પૂરી શકીશું. ચર્ચા-વિચારણું સર્વોદયનો વ્યાપક કાર્યક્રમ પણ જાગૃતિપૂર્વક આગળ ધપવું રહ્યું શ્રી પૂજાભાઈએ સર્વોદયના કાર્યક્રમ અને ખૂટતાં તો ઉપર ચર્ચા ઉપાડતાં કહ્યું : “ભૂદાન કાર્યક્રમમાં કેટલાક સમજપૂર્વક, કેટલાક દેખાદેખીથી, કેટલાક સ્થાન પ્રતિષ્ઠા અને કેટલાક અંદરથી લાભ મેળવવાની લાલચથી ખેંચાયાં. ઘણાને એ જેમ પેદા કરનારે સુંદર કાર્યક્રમ લાગ્યો અને કેટલાકને દેશના ઉદ્ધારને સર્વોત્કૃષ્ટ કાર્યક્રમ જણાયો. રાજકીય કાર્યક્રમોમાં બાપુજીના કારણે જે જાગૃતિ રખાઈ હતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust