________________ 342 છે? બાળકોને કઈ જાતનું શિક્ષણ આપવું જોઈએ ? ગરીબી શી રીતે દૂર થાય? આ તમામ બાબતોનું જ્ઞાન સત્ય-અહિંસાની દૃષ્ટિએ આપનારૂં એક સંગઠન હોવું જોઈએ. આ સંગઠન પક્ષાપક્ષથી મુક્ત હેવું જોઇએ. તે પંચાયત અને સહકારી મંડળી વગેરેને દોરવણ આપે જેને લઈને સાર્વજનિક ચારિત્ર્યનું ઘડતર થાય. આ કાર્ય વિનોબાજીના કાર્યક્રમમાં ખૂટતું તત્ત્વ છે. આ વિનોબાજી સાધુચરિત્રતા ઉપર પહોંચ્યા છે. તેઓ નિશ્ચયતાની દષ્ટિએ વિચારે છે એમાં એમને વિચાર ન કહી શકાય. એ પણ ખરૂં છે કે વિનોબાજીના વિચારોના વાહન બનવામાં સર્વ સેવાસંધ સંસ્થા નિષ્ફળ નીવડી છે અને તે વધારે બંધબેસતું છે. એક પ્રેરક કોઈ શુદ્ધ વિચાર મૂકે કે તદનુરૂપ કાર્યક્રમ મૂકે પણ તેને અનુસરવા માટે તેની સંસ્થા અચકાતી હેય, અગર તો તેમાં નબળાઈ હોય, તે દોષ સંસ્થાને છે–વિચાર મૂકનાર નથી. ગાંધીજીમાં એ ખૂબી હતી કે તેઓ એવી જ રીતે વિચારે મૂકતા અને જુદી જુદી કક્ષાવાળી સંસ્થાઓ માટે, જુદા જુદા કાર્યક્રમો મૂકતા કે જે અમલમાં ઊતરી શકે એટલું જ નહીં ચારે સંગઠને સાથે અનુબંધ પણ રાખતા; સંગઠનો ઊભા કરતા, અને તેમાં પેસેલા અનિષ્ટોને તપ-ત્યાગ, શુદ્ધિ પ્રયોગ વડે શુધ્ધ કરતા. વિનોબાજી કેવળ સાધુચરિત સંસ્થા સુધી પહોંચ્યા છે; જનસંગઠન નિર્માણ કે જનસેવક સંગઠનના ઘડતર સુધી પહોંચ્યા નથી. આ જનસંગઠન અને સંસ્થા નિર્માણનું કામ અધુરૂં રહ્યું છે, તે ઉપાડવું જોઈએ. રાજ્ય ઉપર પ્રભાવ પાડી શકે એ રીતે રચનાત્મક કાર્યકર સંગઠનને ઘડવું જોઈએ. બે સર્વોદય સંમેલને. આરસી અને કર્ણાટકમાં હું હતો. ત્યાં " કાર્યકરો ભેગા થયા. રાજકીય પક્ષવાળાઓમાં એક બાજુ વિચિત્ર -નારાયણની પકડ અને બીજી બાજુ કૃપલાણીજીની પકડ ચાલતી હતી. તેઓ તાણા-તાણું છોડી શકયા નહીં. સૌરાષ્ટ્રમાં ઢેબરભાઈ રાજકીય કાર્યકરોના પ્રભાવમાં આવી ગયા તેથી અમે એક નિર્ણય ઉપર ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust