________________ 337 અસંગતિઓ અને ઘર્ષણ ઊભાં થાય છે. જેમ પોલિસ વિના-શિસ્તની સજાગ ભાવનાએ રાજ્ય ચાલી શકે, એમ જીવનને વહેવાર પણ અથડામણ વગર જ્ઞાન વડે ચાલશે. આ વાત સમજાવવા ગાંધીજીએ ટોસરૉય આશ્રમમાં એને પ્રયોગ કર્યો. કોપાકિન અને ટોલ્સરોયના વિચારોના આ બી ગાંધીજીને મળ્યાં હતાં. વિનોબાજી આ વિચારના પુરસ્કર્તા છે. તેઓ કહે છે કે જે 20-25 સમજ કાર્યકરે આ વાતને નહીં સમજે અને શાસન વગર ન ચલાવી શકે તે શાસનમુક્ત સમાજરચનાની વાત હવામાં રહેવાની છે. જો આ વિચારને માનનારા લોકો ઉપર દેખરેખ રહે, છુપી પિલિસ રહે, પ્રાયશ્ચિત કરવું પડે અને શુદ્ધિ કરવી પડે તો એ વિચાર અધૂરે છે. એટલે જીવનદાનીની વાત આવતાં વિનોબાજીએ કહ્યું કે, જેને તંત્ર ન હય, નિધિ ન હોય, પક્ષ ન હોય, કે કોઈ બંધન ન હોય તે જીવનદાની છે. તે પોતાની સર્વસ્વ શક્તિ ઈશ્વરને સમપે છે. આ રીતે સર્વસ્વ અર્પણ કરનારો માત્ર ઈશ્વરના આધારે રહે. તે મુઠ્ઠી અન્ન ભેગું કરી આત્મનિર્વાહ કરે, તેમ જ પોતાના નિર્મળ જ્ઞાન, ત્યાગ, તપશ્ચર્યા વ. ઉપર અવલંબિત રહે. આ નવા યુગને સાધુધર્મ છે અને તેના પ્રતીક રૂપે રવિશંકર મહારાજ છે. જેમણે પોતાની સર્વસ્વ શક્તિને આ રીતે સમર્પી છે, એવો જીવનદાની જે હશે તે સર્વસ્વ–ત્યાગી બની લોકોના આધારે રહેશે. પણ, વિનોબાજીના આ કાર્યક્રમનું રહસ્ય સમજ્યા વગર, ગમે તેવા ગૃહસ્થ-કુટુંબ બાળબચ્ચાંવાળા–ની પણ, જીવનદાની તરીકે ભરતી થવા લાગી ત્યારે ગોટાળે થયો. સાધુધર્મને લાગુ પાડવાના નિયમો ગૃહસ્થો ઉપર લાગુ કરવામાં આવ્યા. જે લોકે કુટુંબવાળા કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust