________________ * 338 બાળકોને પત્નીવાળા છે તેમને બસો અઢીસોથી ઓછામાં પૂરું ન પડે એટલે તેમને જીવનદાનીમાં ગણવા કે લેવા જોઈતા ન હતા. જીવનદાન નવયુગને દીક્ષા સંસ્કાર છે. પરિત્રજ્યા લઈને જીવનદાની પરિવ્રાજકરૂપે ફરશે. જીવનદાનમાં આ યુગની સાધુસંસ્થા નિર્માણ કરવાનાં બી પડયો છે. જીવનદાન આપનારા સાધુપુરૂષો ગાંઠે પૈસા બાંધશે નહીં કે સંગ્રહ કરીને ફરશે નહીં. સાધુ તો કઈપણ સંસ્થા, પક્ષ, પંથના બંધન વગર અપ્રતિબદ્ધ રીતે વિહાર કરે છે, તેવી જ રીતે નવયુગને આ પરિપ્રાવક પણ સર્વ-સંગ કે આશકિતથી મુક્ત રહેશે; તો જ તેનું ચિંતન પૂર્વગ્રહ પરિહારી અને શિસ્તના ભયથી મુકત હશે. આવા સાધુચરિત પુરુષ, લોકે દ્વારા આપેલ સર્વોદય - પાત્રાધારિત હશે. પરમહંસની જેમ એ સાધક મસ્ત હશે. મૂલ્ય પરિવર્તન માટે નવા યુગને એ સાધક શું કરે? તેના જીવન નમાં કોઈપણ પ્રકારને પૂર્વગ્રહ, રાગદ્વેષ કે મોહમમતા નહીં હોય. આ મારી સંસ્થા છે, એવો પણ મમત્વભાવ એનામાં નહીં હોય. આ પૂર્વગ્રહમુકત, સંસ્થામુક્ત અને પક્ષમુક્ત સાધક જ વિચાર–પરિવર્તન કરી શકશે. એટલે એવા સાધુ પુરૂષે સંઘ, સંસ્થા, નિધિ કે પક્ષ ઉપર નિર્ભર રહેવાનું ન હોય, તેને આજીવિકાનું કામ પણ શું? તેને તે સર્વોદય પાત્ર ઉપર નભવાનું છે અને લોકોના વિચારનું ઘડતર કરવાનું છે. એ માટે તેને સતત ફરવાનું છે. તેનું કામ હશે અધ્યયન કરવાનું અને સત્યના વિચારને અતાગ્રહપૂર્વક કોઈને ઉપર લાદયા વગર મૂકતા રહેવાનું છે. એટલે વિનોબાજી આ કાર્યક્રમ દ્વારા નવા યુગની સન્યાસીસંસ્થાને બેઠી કરી રહ્યા છે, એમ માનીએ તો એ કાર્યક્રમને ન્યાય આપી શકીએ. *. એ નિશ્ચયનયના તત્વજ્ઞાનની દષ્ટિએ વિનોબાજીએ બીજો કાર્યક્રમ એ મૂકો કે “કાર્યકરોને ઘડે કોણ?” તેઓ એમ વિચારે છે કે હું ઘડનાર કોણ? ઈશ્વરે સહુને બનાવ્યા છે અને તેજ ઘડશે. મારે વચમાં ન પડવું જોઈએ. આ વાત ઉચ્ચ કોટિએ પહોંચેલા વિનોબાજી જેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust