SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ 336 કરી હતી. અને તેમના જેવા સાધુસ્વરૂપે લોકોએ સર્વોદય આણવા સંસ્થાઓનું નિર્માણ પણ કર્યું. આજે સર્વોદયના કાર્યક્રમોને આપણે એ રીતે વિચારીશું તે લાગશે કે ઉપર બતાવેલ ત્રણ તો પૈકી નિશ્ચય નયના તત્વને પકડી, વિનોબાજીના કાર્યક્રમો ચાલે છે. તત્ત્વજ્ઞાનનું ઉચ્ચ સ્વરૂપ નિશ્ચય નય છે. જો આટલું સમજી લેવામાં આવે તો આજે સર્વોદયના કાર્યક્રમમાં-વહેવારમાં જે ક્ષતિ દેખાય છે, તે ક્ષતિ એના ચાલકો કે કાર્યક્રમ પ્રેરકોની નથી એ જાણી સમજી શકાશે. આટલું સમજી લીધા પછી સર્વોદયના સંચાલક પ્રત્યે વ્યકિતગત પૂર્વગ્રહ નહીં બંધાય. સર્વોદય વિધવાસલ્યના નજીકની સાધના છે. જે એ સાધનાને મૂલવવામાં ભૂલે ચૂકે પણ શરતચૂક થાય તે અનુબંધ-વિચારધારા તૂટી પડવાનો સંભવ છે. ગંગા અને જમના જેમ બે નદીઓ છે તેમ આ બે સાધનાની ધારાઓ છે. ગંગા શાંત છે, જમના વેગીલી છે. તેમ એક સાધના જ્ઞાનપ્રધાન છે, બીજી ભક્તિપ્રધાન છે. જેમ ગંગા અને જમનાનો સંગમ ત્રિવેણી સંગમ થઈ જાય છે તેમ આ બે વિચારધારાને અનુરૂપ ચાલતી સાધનાનો સંગમ જ્ઞાન, ભક્તિ અને યોગના ત્રિવેણી સંગમરૂપે બનાવે છે એ માટે બનેને સમન્વય કરવો જરૂરી છે. તે જે દ્રષ્ટિએ વિનોબાજીના વિચાર હું સમજ્યો છું; તેને રજૂ કરૂં છું - ગાંધીજીએ કહ્યું હતું: “એક દિવસ એવો લાવવો છે જ્યારે માત્ર સિગલ બતાવવાની જરૂર પડે, તેથી લોકો સમજી જાય અને પોલિસ વગર પિતે રસ્તે ચાલવાની અને વાહન વહેવારની શિસ્ત પાળે. પોલિસની જરૂર ન પડે. પિલીસને કતાર (યૂ) રચવાની જરૂર પડે તે સમજવું કે લોકો અથડાઈ જાય છે અને જાતે નિયમ પાળી શકતા નથી. મુંબઈ જેવા શહેરોમાં તે પોલિસ હોવા છતાં પણ અથડામણ અને અકસ્માતો થયા જ કરે છે. એ બીજી રીતે જીવનમાં અથડામણ આવવાનું કારણ જ્ઞાનનો અભાવ છે. જીવનનું ભાન ન હોવાના કારણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy