SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ 331 વિશ્વાસ આવે કયાંથી ? એવી જ રીતે પક્ષ મુકિતને કાર્યક્રમ મૂકો. પણ લોકશાહીને માનનારા પક્ષને ટેકો આપવાની વાત કહી. ' પ્રશ્ન એ થાય છે કે જે કાર્યક્રમ સર્વોદય ન પાર પાડી શકે તે શા માટે ઉપાડો જોઈએગ્રામદાનને જ કાર્યક્રમ લઈએ; એ સવાલમાં બધાય પક્ષોને ગ્રામદાનની પરિષદમાં લાવ્યા હતા. પણ બે-ત્રણ પક્ષો સિવાયના ન આવ્યા. અને સરકારે ગ્રામદાનને ટેકો આપવો જોઈએ એવી વાત રજૂ કરવામાં આવી. એને સીધો અને સ્પષ્ટ અર્થ એ થયો કે કાર્યકરે ગ્રામદાનમાં મળેલા ગામોનું ઘડતર કરી શકવાના નથી અને વ્યવસ્થા તથા ઘડતરનું કામ સરકાર કરેજે કાર્ય કાર્યકરે ન કરી શકે અને સરકારને માથે મૂકવાના હોય તો સરકારને તે મુજબ માત્ર સૂચના સલાહ આપવાનો જ કાર્યક્રમ ઘડવો વધારે ઠીક ગણાય. કેરાપુટ (ઓડિસા)માં પહેલાં તો કેટલાક કાર્યકરોએ ગ્રામદાની. ગામોમાં જઈને કાર્ય આરંભ્ય. પણ પછી ઝઘડા ઊભા થયા. એટલે રાજકીય-પ્રશ્ન આવતાં અને ત્યાંનું કામ સરકારને સોંપાયું. પક્ષ. મુક્તિના બદલે કોંગ્રેસને પક્ષાશ્રય લેવો પડ્યો. આમ સર્વાગી દ્રષ્ટિના અભાવે કાંતો કાર્યક્રમો અધૂરાં રહ્યા, અવ્યવસ્થિત થયા અને કયાંક તે તેની વિરુદ્ધ જ કાર્યક્રમ આપવાની નોબત આવી. આજના સર્વોદયના ચાલક સંત વિનેબાજી રાજકારણથી અતડા રહેવાને અને પ્રજાને પણ અતડી રાખવાની વાત કરે છે અને સુસંગઠિતને ઘડાયેલી કોંગ્રેસને પણ ટેકો આપવાની ના પાડે છે. પણ મતદારોને ઘડવાની વાત ગત સર્વોદય સંમેલનમાં મૂકવામાં આવી છે. રાજકારણથી. અતડા રહીને આ કાર્યક્રમ કઈ રીતે પાર પડાશે તે જોવું રહ્યું. - કાશીમાં સ્વચ્છ ભારત-આદિલને અને ઈદોરમાં “અશ્લીલ પિોસ્ટર હઠાઓ આંદોલન” શરૂ કરવામાં આવ્યાં. પણ વિનેબાજી ત્યાં રહ્યા ત્યાં સુધી થોડોક જુસ્સો રહ્યો પાછળથી એ ઓસરી ગયો. આજે સર્વોદયે દેશવ્યાપી કાર્ય કરવું હશે તો ગાંધીજીએ જેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy