SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ટેકો આપે અને જેની શુદ્ધિ-પુષ્ટિ કરી હતી અને જેણે દેશભરમાં રચનાત્મક કાર્યક્રમ આપ્યો અને લોકોને જગાડ્યા અને અંતે આઝાદી અપાવી તેવી ઘડાયેલી સંસ્થા કેંગ્રેસને ટેકો આપવો રહ્યો. એટલું જ નહીં; ક્રાંતિપ્રિય સાધુ વર્ગ દ્વારા પ્રેરિત જનસેવકોનાં વ્યવસ્થિત સંગઠને તેના હસ્તક ચાલતાં જનસંગઠન સાથે પણ અનુબંધ રાખવો જોઈએ. નહીંતર આજ એવું લાગે છે કે દેશનાં બે મોટાં બળ–સર્વોદય અને કોંગ્રેસ એકબીજાની વિરુદ્ધમાં જઈને પોતાની શક્તિ વેડફી રહ્યાં છે. સામાન્ય પ્રજામાં પણ સર્વોદયની આજની રીતિનીતિને કારણે બુદ્ધિભ્રમ થાય છે. " એટલે સર્વોદયના નવા કાર્યક્રમમાં ઉપર જઈ ગયા તે પ્રમાણે જે તો ખૂટે છે તે આ પ્રમાણે છે -(1), કોંગ્રેસ સાથે અનુબંધ અને કોંગ્રેસની શુદ્ધિ અને પુષ્ટિ (2) નૈતિક જનસંગઠન ઊભાં કરી તેની સાથે ભૂદાન વગેરે કાર્યક્રમો જોડવા. (3) લોકસંગઠન, લોકસેવક -સંગઠન એ બન્ને સંગઠનેનાં માર્ગદર્શન અને દેખરેખની સંપૂર્ણ જવાબદારી લેવી (4) એક કાર્યક્રમ પૂરી રીતે પાર પાડ્યા વગર બીજે કાર્યક્રમ ઊભો ન કરે. ભાલ નળકાંઠામાં પ્રયોગો કર્યા પછી અનુભવો ઉપરથી જે વાત લાગે છે તે જણાવવામાં આવી છે. એટલે આધુનિક સર્વોદયે આ ખૂટતાં તો ઉપર વિચાર કરી તેની પૂતિ કરવી પડશે તોજ તેની શક્તિને લાભ સમાજને વધારે ઉપયોગી નીવડશે. ભાલ નળકાંઠામાં ચાલતા રચનાત્મક (કાર્યકરની સંસ્થાની) પ્રાયોગિક સંઘની વધુ નજીક જે સંસ્થાઓ છે તેમાં સર્વોદય કે સર્વ સેવાસંઘનો ક્રમ પહેલો આવે છે. પણ તે સંસ્થાઓએ સિદ્ધાંતની સાથે વહેવારનો મેળ બેસાડવો જોઈએ અને કાર્યક્રમો ઘડવા જોઈએ. તે દેશના ઉત્થાન માટે, વિશ્વના કલ્યાણ માટે, જે શક્તિઓ કામ કરે છે તેને લાભ સમાજને વધારે પહોંચશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy