SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ 330 એ ઉપરાંત ગાંધીજીના સમયે કાર્યક્રમો બનતા; તેને અમલ થતા અને તેની પ્રક્રિયાઓ અને પરિણામે ઉપરથી બીજે કાર્યક્રમ આગળ ધપાવવામાં આવતો. ત્યારે આજના સર્વોદયના સંત વિનોબાજી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. તેમણે એક પછી એક કાર્યક્રમો આપવા શરૂ કર્યા. પણ દરેક કાર્યક્રમ પાછળ ઉપર જણાવેલ ચાર બાબતને અભાવ હોય, તો તે લાંબે ગાળે પણ અસફળતાને આરે જઈને ઊભો રહે. નિધિ-મુક્તિને કાર્યક્રમ પણ અસફળ ગયો કારણ કે તેમણે તરત જ જે શાંતિ સૈનિકોનો કાર્યક્રમ મૂકયો તેમાં વગર ઘડાએલા માણસો શાંતિ સૈનિકો તરીકે દાખલા થવા લાગ્યા. તેમના નિર્વાહને પ્રશ્ન આવ્યો એટલે તેમનાં નિર્વાહ માટે સર્વોદય-પાત્રનો કાર્યક્રમ મૂક્યો. આમ કાર્યક્રમો ઉપર કાર્યક્રમો આવ્યા; પણ સર્વોદયની સાથે જે જનસંપર્કની અને નિતિક જન સંગઠનની અપેક્ષા રહે છે તે અહીં આવશ્યક ગણાતી નથી. શાંતિ–સૈનિકોનું જ લઈએ. એ શા માટે છે ? એનાથી દેશના હિતની કઈ વાત થવાની છે ? દેશમાં શાંતિ સ્થાપવા નિમિત્તે સર્વોદય પ્રયોજિત આ શાંતિ સેનાએ અત્યાર સુધી શું કર્યું? કાશ્મીર, ગોવા, કેરલ, જબલપુર, આસામ, પંજાબી સુબા અને અલીગઢના પ્રશ્નોમાં; હુલ્લડે થયાં. અશાંતિ પ્રર્વતી ત્યારે શાંતિ–સેના કશુંયે ન કરી શકી ? એટલું જ નહીં અમદાવાદમાં બંડખોર અને દાંડ તત્ત્વોએ દ્વિભાષીને તોડવા અને મહાગુજરાતની અલગ સ્થાપના અંગે તોફાનો કર્યા, ત્યાં શાંતિ સૈનિકો ફરક્યા પણ નહીં. આ બધાનો સંતોષકારક ખુલાસો લોકોને ન મળે તો પછી એ સર્વોદય પાત્રમાં અનાજ નાખવા માટે ઉત્સાહી કેમ બને ? એટલે સર્વોદય-પાત્ર યોજના પણ અસફળ જેવી જ રહી છે. હવે પાછા કાર્યકરોના નિર્વાહને પ્રશ્ન ઊભો થયે; ત્યારે સર્વ– સેવાસંઘે નિધિ મુક્તિના બદલે, નિધિ-સંગ્રહને કાર્યક્રમ મૂક્યો. આમ આ કાર્યક્રમ અગાઉના તેમના જ કાર્યક્રમની વિરૂદ્ધમાં છે. એટલે લેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy