________________ 9 Co. શ્રી ગેડીજી જૈન દેરાસર * શુદ્ધ એક સુઇ-8. . 2500 વર્ષ ઉપર જગતના બીજા ભાગની જેમ ભારતમાં પણ દાસ-પ્રથા હતી. દાસદાસીઓનું ઘેટાબકરાંની જેમ બજારમાં ખરીદ વેચાણ થતું હતું. દાસીઓનું જીવન સ્વતંત્ર ન હતું. જે એકવાર દાસ બને તેને વંશો સુધી દાસપણું ભોગવવું પડતું. એમાં પણ નારી જાતિ ઉપર તો જુલમ જ ગુજારાત. આવા સમયે ભગવાન મહાવીરનું હૃદય તેમના પ્રત્યે કરૂણાથી દ્રવી ઉઠયું. તેમણે સંકલ્પ કર્યો : “કઈ . રાજકુમારી જે દાસી બની હેય, ત્રણ દિવસની ભૂખી હોય, માથે મૂડી હોય, કછોટો મારેલો હોય, સૂપડામાં અડદાના બાકડા હેય, હાથે હાથકડી હેય, પગમાં બેડી હેય, આંખમાં આંસું હોય, તેના હાથે હું ભિક્ષા ગ્રહણ કરીને મારી તપસ્યાનું પારણું કરીશ. - એક નહીં; બે નહી; પાંચ પાંચ માસ અને પચ્ચીસ દિવસ નીકળી ગયા. અંતે એવી એક દાસી મળી. ચંદનબાળા રૂપે અને ભગવાનને અભિગ્ર (સમાજના દુઃખને દૂર કરવાને સંક૯૫) પૂરે થ. પણ કરૂણાનિધિ મહાવીરે એમની એ કરૂણાનો અંત ત્યાં જ ન કર્યો પણ એ દાસીને 36000 સાધ્વીઓની શિરછત્રા બનાવી. આ છે કારય ભાવનાની ઉત્કટતા ! ગાંધીજી આફ્રિકામાં ગયા હતા વકીલાત કરવા પણ ગોરા માનવીઓને કાળા માનવી પ્રતિ અમાનવીય વર્તાવ જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠયું અને તેમનું આખું જીવન દીન, દુઃખી અને દરિદ્રીઓના ઉદ્ધાર અર્થે જ ખર્ચાઈ ગયું. આ છે કારૂણ્ય ભાવનાની સક્રિયતા. કાર્ય ભાવનામાં આવી સક્રિયતા ન આવે તો તે પંગુજ કહેવાશે. માધ્યસ્થ ભાવના : વિશ્વ વાત્સલ્યની ચોથી ભાવના માધ્યય્ય છે. એને સીધો અર્થ આ પ્રમાણે છે. मध्ये तिष्ठतीति मध्यस्थस्तस्य भावः कार्य वा माध्यस्थां - –એટલે કે જે વચમાં રહે છે, તે મધ્યસ્થ અને તેનાં ભાવ કે કાર્ય તે માધ્યશ્ચભાવ છે. આને એક અર્થ એ પણું થાય છે કે બે