SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાઓને શ્રાવક બનાવ્યા, એટલે તેઓ તે રાજાઓની યુદ્ધજન્ય હિંસાના ભાગી થયા હતા; એમ નહિ માની શકાય. અહીં પ્રમોદભાવના દેખાડવાની છે. તે ગુણીજનો પ્રતિ અને તેમના ગુણો પતિ છે. પછી તે વ્યકિત રૂપે હોય તે વ્યક્તિ તરફ, સમાજ રૂપે હોય તો સમાજ તરફ, સંસ્થા હોય તે સંસ્થા તરફ અને રાષ્ટ્ર હોય તે રાષ્ટ્ર તરફ તેના વિશિષ્ટ ગુણો પ્રતિ જ પ્રમોદભાવ છે. ( આ પ્રમોદભાવના કેળવવાને ઉદ્દેશ એક જ છે કે જે ગુણોના કારણે જીવનની ઉચ્ચતા અન્યમાં આવી છે તેવી જ ઉચ્ચતા તરફ જવાનું બળ પ્રમેદભાવના ભાવનારને મળે. દુર્ગુણોના પ્રભાવને નિર્બળ બનાવી સદ્દગુણોનું બળ વધારવું એ પ્રમોદભાવનાની રચનાત્મક દિશા છે. કરૂણુ-ભાવના : વિશ્વવાસલ્યની ત્રીજી ભાવના કરૂણ કે કારૂણ્ય છે. જગતના જે છ દુઃખી છે; સંતપ્ત છે, પીડિત છે, શોષિત છે તેમના પ્રતિ કારૂણ્ય દાખવવું એ કરૂણા છે. આ ભાવના પણ વ્યકિતથી લઈને સમાજ, દેશ, વિશ્વ અને સમષ્ટિ સુધી વ્યાપક બનવી જોઈએ. કરૂણાભાવના એટલે કેઈના દુઃખને જોઈને દુઃખી થવું એટલું જ નથી પણ, દુઃખને સમજીને તેનું નિરાકરણ કરવામાં તેની સક્રિયતા રહેલી છે. માતાની કરૂણું કેવળ સંવેદના બનીને નથી રહેતી; તે તે પિતાના બાળકના દુઃખને દૂર કરવા માટે જીવન અર્પણ પણ કરી દેવા તૈયાર થઈ જાય છે. એવી જ રીતે વિધવાત્સલ્યના સાધકની કરૂણું પણ સક્રિય બનીને જગત-જીવનના દુઃખને દૂર કરવા માટે કામે લાગી જાય છે. આ કરૂણું જ્યારે વિશ્વ વાત્સલ્યના એક અંગ રૂપે પ્રગટે છે ત્યારે કરૂણા કરનારના મનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન જાગતું નથી. તેને એ પણ ભાન રહેતું નથી કે હું કરૂણા કરું છું. એ એને સ્વભાવિક જીવનક્રમ બની જાય છે. “હું કોઇના ઉપર ઉપકાર કરવા માટે નહીં, પણ આ તો મારો આત્મધર્મ છે અને હું કરું છું ! " એવી વાત્સલ્યની ઉત્કટ ભાવનાની સાથે કાર્યો સક્રિય બને છે. - Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy