________________ પક્ષની વચ્ચે સમતુલા જાળવી રાખવી. ઘણા એને અર્થ તટસ્થ રહેવું એમ પણ કરે છે. તે અમુક અંશે ઠીક છે. પણ નિતાંત એને જ ' , સત્ય ન માની શકાય! - સાચી તટસ્થતા ત્યાં જ આવી શકે, જ્યાં પહેલાં તદાત્મતા (એકરૂપતા) તેની સાથે મેળવી લીધી હોય. એક માતા જેમ બાળકની સાથે એકરૂપતા સાધી લે છે, પણ જ્યારે બાળક તેનું કહેવું માનતું નથી, અનિષ્ટ માર્ગે જતાં નિવારવા છતાં તે ઈષ્ટ માર્ગે વળતું નથી, ત્યારે માતા કઈ વખત તટસ્થતા એટલે કે પ્રેમમય અસહકાર સ્વીકારે છે, તેની અસર બાળક ઉપર પડે છે, તે માતાના તથી પિતાના અનિષ્ટ વર્તનને છોડવા તૈયાર થાય છે. એવી રીતે જ વિશ્વ વાત્સલ્ય-સાધક તટસ્થતા ત્યારે જ સાધી.શકે, જ્યારે જગતના પ્રાણીઓએ સવિશેષ માનવો સાથે તાદામ્ય સાધી લીધું હોય. માત્ર તટસ્થ રહેવું કોઈ સાધકની સામે અનિષ્ટ કરતું હોય, ખરાબ રીતે સમાજમાં વર્તન કરતું હોય, તે વખતે સમાજને જવાબદાર સાધક જે કંટાળીને ઉદાસીન થઈ જાય, તટ એટલે એક કોરે જઈને સ્થિત થઈ (બેસી) જાય, તે તે “તીરે ઊભા જુએ તમાશા” જેવી કહેવત પ્રમાણે તે અનિષ્ટ પ્રત્યે આંખ મીંચામણાં કરી, આડકતરી રીતે તે અનિષ્ટને વધારે છે. તટસ્થતાનો અર્થ એમ પણ છે કે બે પક્ષો વચ્ચે તે તટસ્થતા રાખે એટલે કે કોઈના મતે દેરવાઈ ન જાય! પણ વિવેકબુદ્ધિએ સારા-નરસાંના ભેદને પારખી શકે. માધ્યસ્થ ભાવને મધ્યસ્થ વ્યક્તિના ભાવ તરીકે ઓળખ એ બરાબર થશે. જ્યારે પણ કોઈ બે પક્ષમાં ઝઘડો થાય ત્યારે એક મધ્યસ્થની નીમણુંક કરવામાં આવે છે. તેનું કામ બે પક્ષો વચ્ચે * સમાધાન કરાવવાની સાથે ખરાને ખરૂં અને ખોટાને ખોટું કહેવાનું હોય છે. : ઘણી વાર આંખ આગળ ઉપદ્રવ થતા હય, અનિષ્ટો ચાલતા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.