________________ 283 * લડી શકે એ રીતે તેમને શીખવવાનું છે. પુનરચના મંડળની યોજના દ્વારા પ્રાયોગિક સંઘે આ બધું કરવાનું છે. જેમ સામ્યવાદ વિશ્વની આર્થિક. વિષમતા દૂર કરવા માટે અશુદ્ધ સાધને લઈને લડે છે તેમ વિનોબાજીએ શુદ્ધ સાધનોથી માલિકી હકક-વિસર્જનને નાદ દુનિયાભરમાં ગુંજાવ્યું. છે. એટલે આ બધા નૈતિક સંગઠનને એવી ખાતરી મળવી જોઈએ કે અમે એજ્યાં નથી પણ વિશ્વના પ્રવાહે અમારી તરફેણમાં છે; એ રીતે શ્રદ્ધા મજબૂત કરવાની જરૂર છે. આ થયો આર્થિક વિષમતા દૂર. કરવા માટે પ્રાયોગિક સંઘને કાર્યક્રમ પણ સામાજિક વિષમતા દૂર કરવા માટે શું કરવું જોઈએ? આજે તે એક જ વર્ષમાં એક બીજાને ઉંચા-નીચા માનવામાં આવે છે. આ વાઘરી છે એટલે નીચા છે; ભરવાડ ગમાર અને અણઘડ છે, ગ્રંથિઓ લોકોમાં પેસી ગઈ છે. ભંગી લોકો ધાબીને નીચા ગણે છે તેમ બી પઢારને નીચા માને છે; કારણ એ બતાવે છે કે એ લોકો ઉંદર ખાય છે અમે ખાતા નથી. એવી જ રીતે વાણિયાની જાતિઓમાં વીશા પિતાને ઉંચા માને, દશા નીચા, પાંચા અને અઢીયાને તો એથી પણ નીચા ગણે ક્યાંક કારડિયા ઊંચા તો નાડોદા નીચા છે. આ પ્રકારની જે ગાંઠે સમાજમાં પડી છે તેના કારણે મેળ નથી પડતો અને આ વિચિત્ર પ્રકારની જ્ઞાતિ-વ્યવસ્થાના કારણે સમાજ વ્યવસ્થામાં વિષમતાના સંસ્કારે ભયંકર રીતે ઊંડા ઊતરી ગયેલાં છે. આર્થિક સમાનતા હોવા છતાં આવી સામાજિક-વિષમતાના સંસ્કારો જનતામાં હોય તો તેને તોડવાના કાર્યક્રમ ગોઠવવા જોઈએ. આ સમતા આચરવા અને અચરાવવાનો. કાર્યક્રમ પ્રાયોગિક સંઘને છે. ત્રી કાર્યક્રમ-સર્વત્ર દિવ્યતા વ્યાપે : વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમનું ત્રીજું પગથિયું છે :-“સર્વત્ર દિવ્યતા. વ્યાપો !" સમાજમાંથી તનનાં અને મનનાં દુઃખો દૂર થાય, વિષમતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust