SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ 283 * લડી શકે એ રીતે તેમને શીખવવાનું છે. પુનરચના મંડળની યોજના દ્વારા પ્રાયોગિક સંઘે આ બધું કરવાનું છે. જેમ સામ્યવાદ વિશ્વની આર્થિક. વિષમતા દૂર કરવા માટે અશુદ્ધ સાધને લઈને લડે છે તેમ વિનોબાજીએ શુદ્ધ સાધનોથી માલિકી હકક-વિસર્જનને નાદ દુનિયાભરમાં ગુંજાવ્યું. છે. એટલે આ બધા નૈતિક સંગઠનને એવી ખાતરી મળવી જોઈએ કે અમે એજ્યાં નથી પણ વિશ્વના પ્રવાહે અમારી તરફેણમાં છે; એ રીતે શ્રદ્ધા મજબૂત કરવાની જરૂર છે. આ થયો આર્થિક વિષમતા દૂર. કરવા માટે પ્રાયોગિક સંઘને કાર્યક્રમ પણ સામાજિક વિષમતા દૂર કરવા માટે શું કરવું જોઈએ? આજે તે એક જ વર્ષમાં એક બીજાને ઉંચા-નીચા માનવામાં આવે છે. આ વાઘરી છે એટલે નીચા છે; ભરવાડ ગમાર અને અણઘડ છે, ગ્રંથિઓ લોકોમાં પેસી ગઈ છે. ભંગી લોકો ધાબીને નીચા ગણે છે તેમ બી પઢારને નીચા માને છે; કારણ એ બતાવે છે કે એ લોકો ઉંદર ખાય છે અમે ખાતા નથી. એવી જ રીતે વાણિયાની જાતિઓમાં વીશા પિતાને ઉંચા માને, દશા નીચા, પાંચા અને અઢીયાને તો એથી પણ નીચા ગણે ક્યાંક કારડિયા ઊંચા તો નાડોદા નીચા છે. આ પ્રકારની જે ગાંઠે સમાજમાં પડી છે તેના કારણે મેળ નથી પડતો અને આ વિચિત્ર પ્રકારની જ્ઞાતિ-વ્યવસ્થાના કારણે સમાજ વ્યવસ્થામાં વિષમતાના સંસ્કારે ભયંકર રીતે ઊંડા ઊતરી ગયેલાં છે. આર્થિક સમાનતા હોવા છતાં આવી સામાજિક-વિષમતાના સંસ્કારો જનતામાં હોય તો તેને તોડવાના કાર્યક્રમ ગોઠવવા જોઈએ. આ સમતા આચરવા અને અચરાવવાનો. કાર્યક્રમ પ્રાયોગિક સંઘને છે. ત્રી કાર્યક્રમ-સર્વત્ર દિવ્યતા વ્યાપે : વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમનું ત્રીજું પગથિયું છે :-“સર્વત્ર દિવ્યતા. વ્યાપો !" સમાજમાંથી તનનાં અને મનનાં દુઃખો દૂર થાય, વિષમતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy