________________ દૂર કરવા માટે કાર્યક્રમ ચાલવા છતાં યે જ્યાં સુધી સમાજમાં 'દિવ્યગુણોના સંસ્કાર ન પ્રગટે ત્યાં સુધી સુખ કે સમતા ચિરકાળ સુધી ટકવાનાં નથી. એ જોવામાં આવે છે કે જ્યાં અભાવ - નથી, વિષમતાનું દુઃખ નથી, એવા ઘણાયે પ્રતિષ્ઠિત લોકો અને સામાન્ય પ્રજામાં સુખ લાંબા ગાળા સુધી ટકતું નથી કે એ સુખ એમનામાં દિવ્યતા પ્રગટાવી શકતું નથી. ગીતામાં, અભય, સત્વ સંશુદ્ધિ, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, જ્ઞાનયોગ, વગેરે 16 દિવ્યગુણો બતાવેલ છે. તેને દૈવી સંપત્તિ કહેવામાં આવી છે. માનવસમાજમાં આ દિવ્ય ગુણો કેમ પ્રગટે ? તેને પ્રગટાવવાનું કામ કોણ કરે? એ અંગે વિચાર કરીએ. જેણે પોતાનું જીવન દિવ્ય-ગુણની સાધનામાં અર્પણ કર્યું છે. સામાન્ય જ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધીની સાધના માટે જે સતત મથતું રહે છે, મનુષ્યનું પૂર્ણ સ્વરૂ૫ દિવ્ય અવસ્થા છે, તેને ક્રમે ક્રમે મેળવવા જે પુરૂષાર્થ કરે છે તેવો સાધુવર્ગ સમાજમાં દિવ્ય ગુણે પ્રગટાવવાનું કામ કરી શકે. આ સાધુવર્ગમાં બધા પ્રકારના સાધુઓ આવી જાય છે. તેઓ જુદા જુદા દેશોમાં હેઈને જુદા જુદા દિવ્યગુણે ઉપર ક્રમે ક્રમે ભાર મૂક્તા જશે. ક્યા દિવ્યગુણ ઉપર વધારે ભાર મૂકવો અને કયા દિવ્યગુણ ઉપર ઓછો ભાર મૂકે એ તો તે-તે દેશ, કાળ, પરિસ્થિતિ જોઈને સાધુવર્ગ પોતે નક્કી કરશે. પણ, સાધુસંસ્થાને મુખ્ય કાર્યક્રમ સમાજમાં દિવ્યગુણો પ્રગટાવવા, વિક્સાવવા અને વધારવાનું છે. તેઓ ગામડાં અને શહેરનાં અલગ અલગ જનસંગઠનથી લઈને જનસેવક સંગઠનો અને ધર્મસંગઠને સુધીમાં નિરીક્ષણ કરશે કે ક્યા ક્યા દિવ્યગુણની જરૂર છે અને તે માટેના કાર્યક્રમ મૂકશે. આજકાલ સામાન્ય રીતે લોકોને-મજૂરોને પૈસા વધારે મળે છે. તેમાં પણ શહેરમાં એથી યે વધારે મળે છે. એટલે તે પ્રમાણમાં સંપત્તિ -વધી છે પણ દિવ્યગુણો ન હોવાને કારણે તે સંપત્તિ ટકતી નથી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust