________________ 282 વ્રત–બદ્ધ થઈ આગળ વિકાસ સાધવાનું મળ્યું છે, જીવનમાં આવતી સામાજિક-આર્થિક વિષમતાને જેમણે આધ્યાત્મિક સમતાના વિચારોથી સમાવી દીધી છે; એવા નવા બ્રાહ્મણો એટલે લોકસેવકોએ આ કાર્યક્રમને ઉપાડવાનો છે. તેમણે રચનાત્મક કાર્યકરોને સંધ,પ્રાયોગિક સંધ તેમજ જુદાં જુદાં સંગઠનો અને કાર્યવાહક-સહાયક સંગઠનો ઊભા કરવાનાં છે. સાથે જ એ સંગઠનમાં તેમણે પારસ્પરિક સમન્વય અને મેળ બેસાડવાને છે અને તેમની આજીવિકાની ચિંતા દૂર કરવાની છે. આ ત્યારે જ બની શકે જ્યારે પોષણ પૂરતી આજીવિકા મળી શકે તેવા કાર્યક્રમો તેઓ યોજે, જનાઓ ઘડે, જનતા સમક્ષ મૂકે અને જનતા દ્વારા રાજ્ય સુધી તે યોજનાને પહોંચાડે. તેમણે સહકારી પ્રવૃતિઓમાં ફરજિયાત બચતથી આર્થિક આધાર ઊભો કરવાને છે અને સહકારી પ્રવૃત્તિઓ દ્વારા તેમણે આર્થિક વિષમતા મટાડવાની છે; એટલું જ નહીં દશ ટકા જેટલી બચત કરતાં શીખવે જે આફત વખતે વીમાની ગરજ સારી શકે. તેમણે બેટા ખરચા ઓછામાં ઓછા થાય તે જેવું પણ જરૂરી છે. કદાચ પાકને વ્યાજબી ભાવ તેમને ન મળે તે પણ તેમણે એક આશ્વાસન તે રાખવાનું છે કે અમે એકલા કે ધારા નથી, નૈતિક સંગઠનો અમારી પડખે ઊભાં છે અને વિશ્વના ખેડૂત-મજૂર સંગઠને પણ અમારી પડખે બેઠાં છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય મજૂર સંઘ (ઈન્દુક) સાથે અમારા સંગઠનને અનુબંધ છે અને તેના વડે અમારે અવાજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચાડવામાં આવશે અને એક દિવસ અમને જરૂર ન્યાય મળશે. આમ અન્યાયની સામે પણ આ નૈતિક જન સંગઠનોને અહિંસક રીતે લડતાં શીખવવાનું છે અને અહિંસક ઢબે ન્યાય મેળવવાની તાલીમ આપવાની છે. ગાંધીજીએ માલિકોના અન્યાય સામે મજુરોને જેમ. અહિંસક રીતે પદ્ધતિસર લડવાનું શીખવ્યું હતું તે ગાંધી માર્ગ દ્વારા ખેડૂતો, ગોપાલકો અને આમ મજુરે (શ્રમિક) પણ અહિંસક ઢબે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust