________________ 278 ન થયા કરે તેમજ દુઃખોને (નિવાસ અને વસ્ત્રનાં) દૂર કરીને શરીરનું રક્ષણ કરવાને કાર્યક્રમ હોવો જોઈએ. સદ્દભાગ્યે એક નાનકડા પ્રતીક તરીકે પણ ભાલમાં જવારજમાં હરિજન માટે મકાન બંધાયા અને વસ્ત્રોદ્યોગ માટે સહકારી જીન પ્રેસ તથા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ચાલે છે. રક્ષણને કાર્યક્રમ . ઘણી વાર એવું બને છે કે અન્ન, પાણી, વસ્ત્ર, મકાન વગેરેની સુખસગવડ હોવા છતાં રક્ષા માટે નિરાંત હેતી નથી. કોઈ બહારવટીયાને ડર હોય છે; ગામનો હેવા છતાં કોઈ ગૂંડાને ભય રહ્યા કરે છે. આવા માણસો પિતાને પ્રાણ લેશે એવું દુઃખ માણસના મનમાં રહ્યા કરે છે. પ્રાણ હેય છતાં તેની રક્ષા બરાબર ન થતી હોય કે ન થઈ શકતી હોય તે તેનું દુઃખ થયા કરે છે. ગામના કે બહારના આક્રમકોને ફડકો ન રહે, તેનાથી રક્ષણ કઈ રીતે કરવું તેની ચિંતા થયા કરે તેમજ પ્રાણ ન ટકે તેનું દુ:ખ ખટક્યા કરે છે આવું બધું હોય તો જીવન વિકાસમાં પ્રગતિ ન કરી શકાય. ચોરી થવાની વકી હોય ત્યારે ખેતી સુધારવામાં મન ચુંટશે નહીં. “હું વીરડે તૈયાર કરીશ પણ બીજા પાણું ચેરાવી | જશે. ઝૂંટવી લેશે.” તો વીરડા ગાળવાનું મન થતું નથી. એટલે કેવળ પાણી, અન્ન, વસ્ત્ર અને વસાહતના દુ:ખોના નિવારણના કાર્યક્રમ સાથે એ બધાના રક્ષણનો કાર્યક્રમ હેવો જોઈએ. રક્ષણની વ્યવસ્થા ન હોય તે આગળ વિકાસ ન થઈ શકે. આ તનના સુખને કાર્યક્રમ થ. મનદુ:ખ નિવારણનો કાર્યક્રમ : ' . પણ શરીરનું સુખ હોય, પૈસા પણ પુષ્કળ હોય તે છોંચે કેટલીક વખત વધુ મેળવવાની તૃષ્ણાને લીધે, બીજાની પાસે વધુ સામગ્રી જોઈ મનમાં અસંતોષ, અદેખાઈ અને ઈર્ષ્યા થયા કરે છે. કેટલીક વાર પિતાની બિન-આવડતને લઈને દુઃખ થયા કરે છે. એમાં વસ્તુ હોવા છતાં માણસ મનના કે અજ્ઞાનના કારણે દુઃખ ભોગવ્યા કરે છે. એ દુઃખ કેવી રીતે ન ભોગવવું તેનો ખ્યાલ શિક્ષણ-સંસ્કારથી આવે છે. છે જે આવું ' કરી શકાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust