SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ 277 ભગવાન બુદ્ધે આનંદને એક ભિખારીને જ્ઞાન આપવા મેકલ્યો તેને દાખલો ઘણે જે જાણીતું છે. ભિખારી ભૂખ્યો હતો એટલે આનંદની ધર્મશિક્ષા ઉપર તેનું ધ્યાન ન ચુંટયું. પણ બીજે દિવસે બુદ્ધ ગયા અને તેમણે તેના ભૂખનું નિવારણ પ્રથમ કર્યું અને તેને ધર્મોપદેશ પમાડયો. દેહદુઃખ નિવારણ કાર્યક્રમ એટલે દેહનાં દુઃખ દૂર કરવા એ પહેલો કાર્યક્રમ છે. એના ત્રણ ભાગ કરી શકાય. તે નીચે મુજબ છે -(1) પાણીનું દુઃખ, (2) ખેરાકનું દુઃખ (3) અન્ન અને વસ્ત્ર તેમ જ નિવાસનું દુઃખ. ભાલમાં પાણીનું દુઃખ હતું. એવો જ ત્રાસ રાજસ્થાનમાં પણ છે. આજે તો જે કે ભાલમાં પાઈપ લાઈન આવી છે. પણ તે વખતે પાણીને જે ત્રાસ હતો તેને દૂર કરવા માટે " જલ સહાયક સમિતિ " રચવામાં આવી હતી અને તેના વડે તળાવ વગેરે ખોદાવવાનાં કાર્યો શરૂ થયાં પછી વિશેષ પ્રયત્નના અંતે મુંબઈ સરકારે પાઈપ લાઈન સ્વીકારી. બીજુ દુઃખ છે અન્નનું. પઢાર લોકો અને અભાવે ટળવળે અને થેગ (એક જાતનું ખડધાન્ય) વીણીવીણીને લાવે છતાં ય અનાજ પૂરતું ન મળે. બીજાને ત્યાં વધારે ખાવાની સામગ્રી જોઈને મન અન્ન ઉપર રહ્યા કરે. અનશન (સંથારો ) કરનારને બાદ કરતાં બધા ય લોકો અન્નની ચિંતા એક યા બીજી રીતે કરતા જ હોય છે. એ દુ:ખ દૂર કરવા માટેનાં કાર્યક્રમો ભાલમાં પાયલટ યોજના વગેરે દ્વારા થઇ રહ્યા છે. અને દુષ્કાળ વખતે પૂ. મુનિશ્રી સંતબાલજીએ ભાલના લોકોને ભૂખનું દુઃખ નિવારવાને ખેડૂત મડળ દ્વારા પુરુષાર્થ કર્યો. - પાણી અને અન્ન પછીનું ત્રીજું દુઃખ છે રહેઠાણ તેમ જ વસ્ત્રનું. માણસને રહેઠાણ ન મળે તો તે શરદી, ગરમી, વરસાદ વગેરેથી રક્ષણ કેવી રીતે કરે? વસ્ત્ર ન મળે તો સમાજમાં જીવે શી રીતે ? ટાઢ, તાપ કે વરસાદથી પિતાનું રક્ષણ કેવી રીતે કરી શકે? એટલે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy