SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ 267 ખર્ચવા પૂરતી જ છે. અંધવિશ્વાસ અને ચમત્કારોથી પ્રેરાઈને ખોટા ખર્ચ શાય છે તેમાં ધનિકોને પ્રતિષ્ઠા મળી જાય છે. આવા. લેકેને સેવા અને સદાચાર, નીતિ અને ન્યાયને પ્રચાર કરનારી સંસ્થાઓમાં પ્રતિષ્ઠા. આપવામાં આવતી નથી એટલે તેઓ ત્યાં કવચિત્તજ જોવામાં આવે છે. * આ સંપત્તિ મારી નથી; હું એને ટ્રસ્ટી છું એવું માનવાના બદલે હું એને માલિક છું તે મને પ્રતિષ્ઠા કેમ મળે? એ વિચાર આવતે નથી. આ વિચાર સમાજમાં ત્યારે જ વ્યાપક બને જ્યારે પ્રામાણિક પણે જીવનાર અને કમમાં કમ સંપત્તિ રાખનારની પ્રતિષ્ઠા થાય તેમ જ ધનના ટ્રસ્ટી તરીકે પિતાને સમજનારની પ્રતિષ્ઠા થાય. * પૂણિયા શ્રાવક પૈસાદાર નહતા, છતાં તેમની પ્રતિષ્ઠા ઓછી. ન હતી. ખુદ ભગધ નરેશ શ્રેણિક તેને ત્યાં ચાલી ચલાવીને ગયેલા. એવી જ રીતે જમનાલાલ બજાજ પિતાને સંપત્તિના ટ્રસ્ટી સમજતા હતા અને મહાત્મા ગાંધીજીની સલાહથી સેવાનાં કાર્યોમાં ખુલ્લા દિલથી. પૈસા ખર્ચતા હતા. તેમની પ્રતિષ્ઠા ગાંધીજીના કારણે થઈ સાથે જ તેમના પ્રામાણિક જીવન વહેવારથી પણ થઈ. ' - આ રીતે સમાજમાં માલિકી હકકની મર્યાદાને પ્રતિષ્ઠા મળી શકે. અને ત્યારબાદ વ્યકિતને માલિકી હક્ક મર્યાદા લેવામાં અકળામણ નહીં થાય. માલિકી હક મર્યાદા સાથે વ્યવસાય મર્યાદા, વ્યાજ ત્યાગ અને વ્યસન મર્યાદા : ; . ! સમાજમાં માલિકી હક મર્યાદા માટે વ્યવસાયોની મર્યાદા કરવી જોઈએ. પ્રાચીનકાળમાં તે કર્મના હિસાબે યારે વર્ણોના ધંધાનું વર્ગીકરણ કરી દેવામાં આવ્યું હતું. પણ, આજે તો એની રીત બદલાઈ છે. આજે તો, ગમે તે વર્ણને માણસ ગમે તે. વ્યવસાય કરે છે. એટલે વ્યવસાય મર્યાદા તરીકે એક માણસ એક જ ધંધો કરે અથવા આવક- . માટે એક જ વ્યવસાયનું સાધન રાખે એવી વિચારણા સમાજમાં પ્રચલિત થવી જોઈએ. તે એક વ્યક્તિ પાસે મૂડી ભેગી ન થઈ શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy