SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ 268 અને તેથી કરીને, તેનાથી ઉત્પન્ન થતાં અનિષ્ટો સમાજમાંથી ઓછાં થઈ શકે. વ્યવસાય મર્યાદામાં, લાંચરૂશ્વતને ત્યાગ, અનીતિ ત્યાગ, પ્રામા ણિક વ્યવસાય, રાષ્ટ્ર કે સમાજને ઘાતક - માદક વસ્તુઓ, સટ્ટો, વ્યાજ વ્યભિચાર અને જુગારના અડ્ડા વગેરે - ધંધાઓનો ત્યાગ આવી જાય છે. આજે કમંદાનના ધંધાઓને નવેસરથી વિચાર કરવાનું છે. તેમાં રાષ્ટ્ર, સમાજ અને પંચેન્દ્રિયને ઘાતક બધા ધંધા છોડવાનો વિચાર આવી જાય છે. વ્યાજ - ત્યાગ ઉપવ્રતમાં વ્યાજકૃતિ કે વ્યાજના ધંધાને ત્યાગ સમજવો જોઈએ. આ વ્યાજનો ધંધે એટલે મૂડીના સ્વીકૃત પુરસ્કાર . વિનિમય કરતાં શેષણની દૃષ્ટિએ વધારે અને ચક્રવર્તી વ્યાજ લેવાય છે તે તરફ નિર્દેશ છે. આજે સુરક્ષાની દૃષ્ટિએ બેંકમાં કે શાહુકાર પાસે નાણાં મૂકતાં કે લેતાં જે સ્વીકૃત અને માન્ય વ્યાજ આપવું પડે છે તેને આમાં સંબંધ નથી. પણ બીજાની ગરજ કે લાચારીના ગે રૂપિયાના બમણ કે એથી વધારે વ્યાજ વડે કરવા–એને આમાં સમાવેશ થાય છે. વ્યસન - ત્યાગ ઉપવ્રત પણ માલિકી હકક મર્યાદાને પિષનારૂં છે. ઘણીવાર નકામી મૂડીનો હેતુ વ્યસન જ હોય છે. એવું પાલન પણ સામાજિક દષ્ટિએ થાય તો સમાજમાં વ્યસન ઓછાં થાય અને ખોટા ખર્ચાઓ પણ ઘટે. એનાથી સાદાઈ અને સંયમ આવે અને એના પગલે માલિકી હક્કની મર્યાદા આવે. માલિકી હક મર્યાદાનું લંબાતું ક્ષેત્ર: જેમ વ્યક્તિ અને સમાજ માટે માલિકી હક્ક મર્યાદાને વિચાર કરવામાં આવે છે તેમ સંસ્થાઓ માટે પણ આનો વિચાર કરવો જોઈએ. કેટલીકવાર સારી એવી ગણાતી રચનાત્મક કે ધાર્મિક સંસ્થાઓમાં જરૂર કરતાં વધારે મૂડી ભેગી થઈ જાય છે. તેમાં પછી ગેટાળા ચાલે છે. જેને રકમની જરૂર હોય તેને મળતી નથી અને ઉંચા વ્યાજે મૂડી મૂકીને વ્યાજ લેવામાં આવે છે. આમ સંસ્થાઓ ધંધાદારી બનીને P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy