________________ 266 મર્યાદા કરે છે પણ તેના કુટુંબીઓ તેને સાથ આપતા હતા નથી ક્યારેક કુટુંબીઓ વ્યવસાય મર્યાદા ન સ્વીકારવા ઈચ્છે કે સંપત્તિને ટ્રસ્ટી તરીકે ઉપયોગ ન કરવા ઈચ્છે એવું પણ બને છે. પત્ની પણ વિરોધ કરે કે સાથ ન આપે અને સંતાનની મર્યાદા ન કરે તે સતા નના પાલણ–પિષણમાં વાંધો આવે. પત્નીને સંતાનના લગ્નમાં જતી પ્રણાલિકા પ્રમાણે ખેટ ખર્ચ અને કરિયાવર કરવાની ઈચ્છા પણ થઈ શકે. સમાજમાં ધન કે ધનવાનનું મૂલ્ય વધુ આંકવામાં આવે અને સાદાઈ, ત્યાગ અને સંયમની પ્રતિષ્ઠા ઓછી થાય અને માલિકી હક મર્યાદાને પ્રતિષ્ઠા જ ન મળે. આવાં ઘણાં વિરોધી કારણે ઊભા થતાં એક વ્યક્તિ મન હોવા છતાં વ્રત લેતાં અચકાય તે સ્વાભાવિક છે. તે એના માટે શું થવું જોઈએ ? ' * : તેના માટે એક જ ઉપાય છે કે જેમ વ્યક્તિ માટે માલિકી હક મર્યાદા છે તેમ સમાજ માટે પણ માલિકી હક મર્યાદાનો વિચાર પણ પહેલો કરે પડશે. સમાજની આજની રૂઢ દષ્ટિ અને પરિસ્થિતિ બનેમાં પરિવર્તનને પ્રયત્ન કરવો જોઈશે, દષ્ટિ પરિવર્તન માટે વિચારપ્રચાર કરવો પડશે અને પરિસ્થિતિ પરિવર્તન માટે નૈતિક સંગઠનો અને સહકારી ઢબે, માલિકીને સહિયારી બનાવવાની પ્રથા ઊભી કરવી પડશે. ' , , : " જો કે આજે પૈસાના કારણે પૈસાદારને જે પ્રતિષ્ઠા અપાતી હતી તે ઘટતી જાય છે અને સમાજ તેમને ઓછા આદરની સાથે જેવા લાગ્યો છે. છતાં, હજુ ભદ્ર સમાજમાં તેમની ઔપચારિક પ્રતિષ્ઠા ચાલુ છે. સંસ્થાઓની સભામાં, ધર્મસ્થાનકો વગેરે અમૂક સ્થળોમાં તેમને અગ્રસ્થાન કે ઉચ્ચ સ્થાન અપાય છે, એની પાછળ ભલે તેમની પાસે પૈસા કઢાવવાની દષ્ટિ હોય પણ, એ રીત ખોટી છે. હજુ પણ જોવામાં આવે છે કે મંદિરની પ્રતિષ્ઠાઓ અને ઉત્સવો વગેરેમાં પૈસા અને પૈસાદારને મહત્વ અપાય છે, ત્યાગ સાદગી કે ત્યાગીઓને મહત્વ અપાતું નથી એનાં કારણોમાં એ છે કે એ પ્રતિષ્ઠા કેવળ વધારે પૈસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust