________________ ૨૪ર " ' આમ તેણે પાંચ પ્રકારના પ્રભુની કલ્પના સાંભળી. તેનું કારણ એ જ કે સહુ પિતપોતાના ઉછેર, સંસ્કાર અને ભાવના પ્રમાણે કાર્ય કરતા હોય છે. હજારો વર્ષ પહેલાં પ્રભુને ન્યાયાધીશ સાથે સરખાવવામાં આવતો. પછી પ્રભુને રાજા સાથે સરખાવવામાં આવતો. : : ઈરાનને એક ભક્ત પ્રભુને મિત્ર ગણતો અને એક ભક્ત તેને ભોળ ગણતા. રવીન્દ્રનાથ ઠાકુરના મનમાં પ્રભુ કવિવરૂપ હતા. જર્મનીને એક ગણિતશાસ્ત્રી પ્રભુને ગણિતજ્ઞ કહેતા. કોઈ તેને “કળા', તો કોઈ તેને કળાકાર ગણાવે છે.” આ પ્રમાણે દરેક માણસ પોતાની કલ્પના પ્રમાણે ગોઠવણ કરે છે. પણ, જ્ઞાની પુરૂષોએ દરેકનો આશય સમજી તે પ્રમાણે તેની ગોઠવણ કરવી જોઈએ. God, ઈશ્વર, પ્રભુ, કરતાર, સિદ્ધ કે અલ્લાહના ભાષાભેદને લઈને ઝઘડે ન કરવો જોઈએ; કારણકે તેની અંદર રહેલું તત્ત્વ એક જ છે. ગૌસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે - ‘जकी रही भावना जैसी, प्रभुमूरत देखी तिन तैसी' હિંદુધર્મ, અદ્વૈતવાદને માનવા છતાં, બીજા ધર્મના મહાપુરુષે પ્રતિ ઉદારતા રાખે છે તેમ જ જાતે ઉદાર છે, તેવું આજે હિંદુ કહેવાતા લોકોમાં ભાગ્યે જ જોવા મળે છે. . . " एकं सत् विप्रा बहुधा वदन्ति " સત્ય એક હોવા છતાં વિદ્વાની તેને જુદા જુદા રૂપે કહે છે. ' ' આ સૂત્ર સત્યશ્રદ્ધા માટે ખૂબ જ અનુકૂળ છે. ખરું જોતાં તે જેવી દષ્ટિ હેય તેવીજ સૃષ્ટિ હોય છે. જે માણસની સમ્યક્રષ્ટિ હશે તેને તેની નજરમાં ગમે તે શાસ્ત્ર કે વ્યક્તિ હોય તેમાંથી ગુણ લેવાની કે સારા ભાવ તારવવાની તેની વૃત્તિ કે દષ્ટિ હશે. એટલા માટે નંદી સૂત્રકારે કહ્યું છે કે સમ્યકષ્ટિ માટે બધાયે વિપરીત સૂત્રે પણ સાચા સૂત્ર બની જાય છે. કહ્યું છે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust