________________ 241 –મતાગ્રહી જ્યાં મતિને અભિનિવેશ–હઠાગ્રહ હોય છે તે તરફ યુકિતને ખેંચે છે. જ્યારે મતાગ્રહ રહિત નિપક્ષપાતી જ્યાં યુકિત છે તે તરફ મતિને લઈ જાય છે.” એટલે પિતાના મતને સાચે ઠરાવવાને બદલે જે સાચું છે તે મારું છે. એવો દષ્ટિકોણ કેળવી બીજાના દૃષ્ટિકોણને સમજવો જોઈએ. દરેક માણસ જે સંસ્કારમાં ઉછરેલો હોય છે તે જ દષ્ટિએ તે દરેક વસ્તુને જોતા હોય છે, પણ સમ્યદષ્ટિ કે જ્ઞાની પુરુષે તો ભાવ, ભાષા, કાળ અને સ્થિતિને ખ્યાલ કરી દરેક વસ્તુને ગ્રહણ કરવી જોઈએ; અને તેમાંથી તત્ત્વ તારવી લેવું જોઈએ.' એક વખત રાજપૂતાનાના એક ગામમાં એક પ્રભુભકતને વિચાર આવ્યો કે આજે સવારે જે પાંચ જણ અહીંથી પસાર થાય તેમને પૂછું કે “તમારે પ્રભુ કે છે?” સૌથી પહેલાં એક હરિજન પસાર થશે. તેને પૂછયું કે “ભાઈ તમારે પ્રભુ કે છે ? " " . " તેણે કહ્યું: “ભારે પ્રભુ તો શ્રેષ્ઠ હરિજન છે.” પછી બેબી આવ્યો. તેને પણ એ જ પૂછ્યું અને જવાબ મળ્યો : “ભારે પ્રભુ તે બેબી છે. બધાના મેલ ધૂવે છે.” ત્રીજો વણકર નીકળ્યો. તેણે જવાબ આપે : “એ તે મોટે વણકર લેવો જોઈએ. આ આકાશને જુઓને, કેવું વણીને તાણું દીધું છે કે તે પડતું નથી.” - ચોથે, ત્રાજવા કાંટા લઈને નીકળ્યો. તેણે જવાબ આપ્યો : “મારે પ્રભુ બધું બરાબર તોળે છે એટલે જ તો જગતના ત્રાજવાં બરાબર રહે છે !" પાંચમે તંબૂ વગાડનાર હતા. તેણે કહ્યું: “મારો પ્રભુ તે હમેશ તંબૂરે વગાડ્યા કરતો હશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust