________________ 227 દેશમાં સારું વાતાવરણ ને ઊભું કરવું જ પડશે. સિનેમા– નાટક તજાવવાં પડશે. બ્રહ્મચર્ય પિપક સારૂં સાહિત્ય પ્રજાને આપવું પડશે. ગુરૂકુળમાં પચ્ચીસ વર્ષ લગી વિકૃતિમય વાતાવરણથી દૂર રાખી નવી પેઢીને તાલીમ આપવી પડશે. ટુંકમાં આ કાર્ય ભગીરથ અને અત્યાવશ્યક છે. . . . , , , - શ્રી દંડી સ્વામીએ કહ્યું : “બ્રહ્મચર્ય સાથે વિશ્વ વાત્સલ્યને ઘણે સંબંધ છે. પણ એ બ્રહ્મચર્ય તેજવાળું જોઈએ. ભીષ્મ અને હનુમાન બ્રહ્મચારી જરૂર પૂરા ગણાય; પણ વ્યાપક તેજ તો કૃષ્ણ અને રામનું જ ગણાયું. રામ પત્નીવ્રતધારી છતાં બ્રહ્મચારી રહ્યા. અને તેમણે બ્રહ્મચર્ય ફેલાવ્યું. કૃષ્ણે નરકાપુર પાસેથી હજારો બહેનને છોડાવી. તેમને અનેક સ્ત્રીઓ સાથે સંપર્ક છતાં તેમણે બ્રહ્મચર્યને સ્થાન આપ્યું. એટલે મને લાગે છે કે માટલિયાએ કહ્યું તેમ સમાજ અને વાતાવરણની વચ્ચે રહીને સંપૂર્ણ બ્રહ્મચર્ય પળાવવું પડશે.' બ્રહ્મચર્ય પાલનના સારાં સાધનામાં મને ત્રણ સાધન સૂઝે છે. જેને આશરે દરેક લઈ શકે: (1) વેગ સાધના (2) હરડે સેવન (3) સાદી રહન-સન., . - સાદો દાખલો આપું તો બે અંગૂઠા વચ્ચે લાકડું હોય તો તેથી પણું નસ સંબંધે બ્રહ્મચર્ય—પાલનને ટેકે મળે છે. ઘુંટીની ઉપરની રગ દબાય તે વિકારે ઓછા પડે એટલા માટે ઘૂંટી પર ચાંદીના અથવા બીજી ધાતુનાં કડલાં બહેને રાખતાં, પુરુષો પણ સાંકળા રાખતાં, આપણું શરીર પંચ મહાભૂતનું બન્યું છે. તેને વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી અને આકાશનો શક્ય તેટલે સંબંધ વધુ રહે તો આપણું આરોગ્ય સારું રહેઅને આરોગ્ય સારું રહે તો બ્રહ્મચર્ય પાલનમાં ઠીક ઠીક ટેકો મળી રહે. બહેનોને આ શ્રમ અને વાતાવરણ ગ્રામ જીવનમાં સહેજે મળી જાય છે. પણ આજે ત્યાં વાતાવરણું બદલાઈ ગયું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust