________________ 228 સેવા એ નારી માટે બ્રહ્મચર્યને તપાવવાનું સાધન . શ્રી સવિતા બહેન કહે: “હું એક બહેનનો પ્રસંગ કહું. તેમાંથી નારી સંગ છતાં બ્રહ્મચર્યને અને હિંદુ મુસ્લિમ સંપર્ક વગેરેને ખ્યાલ આવશે. - - અમે મારી પુત્રીના પિતાજીની બીમારીની સારવાર માટે મદ્રાસ ગયેલા ત્યારે અમને એ બહેન મળેલા. જાતના મુસલમાન હતાં. નાનઆપણુથી વિધવા થયેલાં અને કામ કરી છૂટનારાં હતા. સાઠ વર્ષનાં થવા આવ્યાં હશે. પણ કરકસર ભારે અને મન તો એથી પણ વધારે કઢ. ' લોકો કહેતા : “એ વઢગાડ કરનારી છે. એને ન રાખશે !" પણ, અમે તેમને રાખ્યાં અને જોયું કે સ્વભાવ આકરે ખરે પણ ભારે હૃદયવાન હતા. સેવા ચાકરી ખંતથી કરે. એક વખતે બેબીના બાપુજીને તાવ આવ્યો, તો રાતભર તે બહેન ન ઊંધ્યાં. સેવા બરાબર કરતાં રહ્યાં. મારી સાથે બરાબર જાગતાં રહ્યાં. પછી એકાએક પાએક કલાક આંખ મીંચીને બેસી ગયા. મેં પૂછ્યું : “આ શું કરો છો !" તેમણે કહ્યું : “પ્રભુને પ્રાર્થના કરું છું કે સાજો થઈ જાય !" જ્યારે તેઓ સાજા થઈ ગયા અને ડોકટરે તેમને હરવા-ફરવાની છૂટ આપી ત્યારે તેઓ રાજી-રાજી થઈ ગયા. ત્યાં અમે ઘણાં દર્દીઓની સેવા કરી શક્યા. એ તો સાજા થઈને કાયવશ બહાર ગયા. મારે એક બીજાં સગાની સેવા ખાતર એ ઈસ્પિતાલના કંપાઉંડના બ્લોકમાં (જ્યાં અમે હતાં ત્યાં) રહેવાનું થયું. પણ પછી એ બાઈ રહ્યાં નહીં. “ખુદા, તમારું ભલું કરે !" એમ આશિષ આપી ચાલ્યાં ગયાં. એ હજુ યાદ આવે છે. જગતમાં સામાન્ય ગણાતા માણસો પણ આવાં હોઈ શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust