________________ 226 બ્રહ્મચર્યના; વિચાર ઉપર મક્કમતા વધે, માનવ સતત સંપર્કમાં આવે, અને મનને શુભ પ્રવૃત્તિઓમાં જોડવાની તક આપવામાં આવે તો બ્રહ્મચર્ય ટકાવવું સરળ થઈ પડે. બ્રહ્મચર્ય સાથે સતત શુભ પ્રવૃત્તિને મેળ બાંધ જ રહ્યો. એક આદર્શ બ્રહ્મચારી પંચાવન વર્ષના પ્રેફેસર ડે. સેલેટીને મેં જોયેલા. કોઈએ તેમને પુછયું : “લગ્ન કેમ કરતા નથી?”'. તેમણે જવાબ આપ્યો : “હજુ મને એ વિષે વિચાર કરવાને અવકાશ મળ્યો જ નથી !" વિજ્ઞાનનો તેમને વિષય અને દિવસો સુધી પ્રયોગોમાં પડયા રહે. આજે તે શું શહેર કે શું ગામડાં, બધેય વિચિત્ર વાતાવરણ છે. સંયમની વાતનું કોઈ ને લક્ષ જ નથી. એટલે એની ઊંડી સમજ વ્યાપક કરવી પડશે. ' ઘર્મ, બ્રહ્મચર્ય અને બ્રહ્મચારીઓ - શ્રી બળવંતભાઈ કહે: “વૈદિક ધર્મ કે જૈન ધર્મ, દરેક ધર્મમાં બ્રહ્મચર્યનો મહિમા ગવાયો છે. ભારતમાં તો ચારિત્ર્ય અને બ્રહ્મચર્ય એ બને વસ્તુઓ ઉપર તો યુગયુગથી જોર આપવામાં આવ્યું છે. ગાંધીજીએ તે ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્યને પાઠ શીખડાવ્યો. ઋષિ દયાનંદજીમાં શરીરબળ, બુદ્ધિબળ અને જમ્બર હિંમત બ્રહ્મચર્યને લીધે જ હતાં. ભારતની નાડમાં આ વાત પડી છે. તે છતાં છેલ્લાં દોઢસો વર્ષમાં પરિસ્થિતિએ પલટો ખાધે છે. . ગામડાના અનૂભવે મેં જોયું કે પાંચ વર્ષના બાળકો ખરાબ રવાડે, ખોટી આદતમાં ફસાતાં, નજરે પડે છે. ગામને ચરો જુઓ, ધર્મસ્થળો જુઓ કે કારખાનાં જુઓ લોકો બિભત્સ વાતો કરતાં હોય છે. હું જ્યારે એમને ટોકતો ત્યારે તેઓ મને હાંસીમાં ઉડાવતા. એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust