SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણું સંતાન થજે !" એવા આશીર્વાદ આપતા હતા. આજે બ્રહ્મચર્ય ધર્મ બન્યો છે. અને ઘણા અનૂભવથી જણાય છે કે બ્રહ્મચર્ય જે અનંત આનંદ ક્યાં ય નથી. પણ દુઃખની વાત એ છે કે ગામડાં અને શહેરે અને સ્થળે મા-બાપની મનોદશા એવી છે કે “જલદી સંતાનોને પરણાવી દો. રખે રખડી જશે !" એવી બીકથી અથવા ખોટી વાહ વાહથી–જલદી લગનનો લહાવો લેવા દેડે છે. આથી નાનાં નાનાં બાળકો સમાનયજ્ઞની લગ્નની બલિવેદી ઉપર હોમાઈ જાય છે. ક્ષય આદિ ભયંકર રોગોના ભોગ બને છે. એ માટે વડીલોને બ્રહ્મચર્ય અંગે પાયાની ઊંડી સમજણ આપવી જોઈએ. ખેરી દોરવણું અને ઉલ્ટાં મૂલ્ય . (1) વિશ્વામિત્ર અને મેનકા (2) પરાશર અને મત્સ્યગંધા (3) શકુંતલા અને દુષ્યતના દષ્ટાંત આપીને બાળકોને ભડકાવવામાં આવે છે કે બ્રહ્મચર્ય સરળ નથી. તેથી બાળકોને ઉંચે ચઢતાં અટકાવવામાં આવે છે. આ બ્રહ્મચર્યની વાત કઠણ છે એ જ રીતે સરળ પણ છે. પણ, છેલ્લાં દેઢસો વર્ષથી બ્રિટિશ શાસન દરમિયાન કેવળ ભાષાને જ પલટો થયો નથી પણ વિદેશગમનથી જે વાતાવરણ આવ્યું તેને લઇને ઘણો પલટો થઈ ગયો છે. ચઢવું મુશ્કેલ થયું છે અને પડવું સહેલ. દુઃખની વાત તો એ છે કે ઉલટાં મૂલ્યો સ્થપાયાં છે. સ્વચ્છદીપણાને સંસ્કારીપણું મનાયું અને સંસ્કારીપણને જડતા કે રૂઢિચુસ્તતા મનાઈ. બીજુ દુર્ભાગ્ય એ થયું કે દેશની સંસ્કૃતિરક્ષાધર્મરક્ષા માટે જે સાધુસંસ્થા હતી; અને ચાર સંતાનોમાંના લગભગ એક સંતાન એ માર્ગે જતું તે માર્ગ બંધ જેવો જ થઈ ગયો. તેથી સાધુસંસ્થા ક્ષીણ થતી ગઈ રાજા રક્ષણને બદલે ભક્ષણ–અપહરણ કરવા લાગ્યો. નાના રાજ્યોમાં તો કોઈ કુટુંબ ઈજજતભેર રહી શકે જ નહીં. એટલે બ્રહ્મચર્યની વાતકરવાવાળા ઓછા થઈ ગયા. છતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy