SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ 210 સાધીઓ અંગત વિકાસ અને સામાજિક વિકાસ માટે પરસ્પર પૂરક બનીને તાદામ્ય સાધે છે તેવી બ્રહ્મચર્યસાધના સર્વાગી બની શકે. (તાદામ્ય સાંધના જ એકબીજોને પરસ્પર પ્રેરક બનાવી શકે છે; જોખમ વખતે ચેતવી શકે છે અને બ્રહ્મચર્યથી પડતી(ડગતી) વખતે જાગૃત કરી શકે છે. ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં સતીઓ દ્વારા પુરૂષોને પ્રેરણું મળ્યાના તેમ જ પુરૂષો વડે સ્ત્રીઓને પ્રેરણા મળ્યાના અનેક ઉદાહરણ મળી આવે છે. જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથમાંથી એક-બે દાખલાઓ લઈને તે અંગે વિચાર કરીએ. યમ અને યેમી:ઋગ્રેદમાં યમ અને યમીનું એક સુંદર “આખ્યાન મળે છે. “યમ અને યમી બને ભાઈબહેન હોય છે ‘યમી પિતાના ભાઈ યમને કામવાસના પિષવા માટે અને પોતાને પરણવા માટે કહે છે. યમ તે માર્ગે જવાની ના પાડે છે. તે કહે છે: “જે ‘વાત્સલ્ય, સ્ત્રી અને પુરૂષ બને પરણતાં વિકૃત થઈ કામવિકાર બની જાય છે તે યોગ્ય નથી. તેના બદલે આપણે ભાઈ અને બહેન તરીકે રહીને ‘બ્રહ્મચર્ય પાળીને વાત્સલ્યની વૃદ્ધિ કરીએ એ યોગ્ય છે.” યમી તેને ઘણી રીતે લલચાવે છે. પણ ભાઈ યમ પોતાનું મન મકકમ રાખે છે અને બહેનને પણ ચારિત્ર્ય માટે પ્રેરે છે. જેથી તેને પણ સાચા વાત્સલ્યને આનંદ મળી શકે છે. આ આખ્યાનમાં એક દઢ નિશ્ચયી પુરૂષ વડે નારીને અંગત વિકારે ઉપર સાયરની સુંદર પ્રેરણા મળી છે. સુંદરી દ્વારા ભરતને પ્રેરણા : - એવી જ રીતે ભગવાન ષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી પિતાની ઓરમાન બહેન સુંદરીને પત્ની બનાવવા ઇચ્છે છે. એ યુગમાં ભાઈબહેનનાં લગ્ન પ્રચલિત હતાં. એ સહજ વસ્તુ હતી એટલે તેની નિદા કે તિરસ્કાર ન થતાં. ભારતને ઘણી ઈચ્છા હતી પણ સુંદરીને આત્મા જાગૃત હતા. તે ચક્રવતના વિભવ કે મહત્તામાં અંજાઈ જઈ તેને "પતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy