SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 200 પુરૂષ સાથે રહેવા છતાં બ્રહ્મચર્ય દ્વારા પરસ્પર પૂરક બને એવું આપણું ઋષિ-મુનિઓએ આચરીને બતાવ્યું છે. એટલે વિશ્વવાત્સલ્યને માનનારા સાધક-સાધિકાઓ માટે યુગાનુરૂપ વિશાળદષ્ટિએ બ્રહ્મચર્યનો વિચાર કરવાનું છે. એકલા કે અતડા રહીને બ્રહ્મચર્ય પાળવા જતાં તે કાચું એકાંગી બને છે અને તેમાં દંભ પસી જવાનો ભય છે. માનવ-નર અને માનવ-નારી એ બને જ્યાં સુધી આત્મિક તાદામ્ય નહીં અનૂભવે ત્યાં સુધી બન્નેને એકબીજાના સાચા ગુણનાં દર્શન થઈ શકતાં નથી. આત્મીયતા અનુભવાયા વગર બને શારિરિક આકર્ષણ અને વાસનાથી પ્રેરાઈને શરીર સંબંધ બાંધવા તરફ ઘસડાય છે અને પરિણામે બ્રહ્મચર્યને હાસ નેતરી બેસે છે. જે મર્યાદા કે તટસ્થતા બન્ને વચ્ચે કેળવાવી જોઈએ તે આ કારણસર કેળવાતી નથી અને પરસ્પરની આસક્તિ જાગે છે. તેના બદલે જે બન્નેને ગુણવૃદ્ધિની દૃષ્ટિએ પરસ્પર તાદામ્ય થાય તો બંને એકબીજાનો પરસ્પરમાં અંગત વિકાસ સાધી શકે; અને સાથે સાથે સમાજનો વિકાસ પણ કરી શકે. - નારીમાં ઘણું ગુણો છે. જેમકે ક્ષમા, કોમળતા, સેવાસુશ્રુષા, વાત્સલ્ય, ધતિ, વાણી વગેરે. એવી જ રીતે પુરૂષમાં સાહસ; સત્ય, પૌરૂષ, હિંમત ઉત્સાહ, નિર્ભયતા વગેરે વિશિષ્ટ ગુણો છે. જે નર અને નારીનું તાદામ્ય થાય તો નારીના ગુણોની પૂતિ પુરૂષોમાં થઈ શકે અને પુરૂષના ગુણોની પૂતિ’ સ્ત્રીઓમાં થઈ શકે એટલું જ નહિ પુરુષોની ખામીઓ સ્ત્રીઓ વડે દૂર થઈ શકે અને સ્ત્રીઓની ખામીઓ પુરૂષો વડે દૂર થઈ શકે. આમ આમીય–સાહચર્ય કે તટસ્થતાપૂર્વકના તાદામ્યથી પરસ્પરનું પૂરકપણું વધે અને બ્રહ્મચર્યની સાધના સમાજવ્યાપી બને. અને આમ તે બ્રહ્મચર્ય સમાજ-વિકાસનું કારણ બને. આમાં એક બાજુએ બ્રહ્મચર્ય માટે જાતે કડકમાં કડક રહેવાનું છે અને બીજી બાજુ ગૃહસ્થ સાધક-સાધિકાઓ કે સાધુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy