SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 175 = = = = = આપ્યું કે એ રીતે પણ જીવી શકાય છે. એટલું જ નહીં, જ્યારે “ઇડા , તો માંસમાં આવતા નથી” એવી દલીલ લોકોએ કરી તો તેમણે જવાબ આપે કે “મારી માતાજીએ પ્રતિજ્ઞા આપી છે અને તેમાં ઇંડાને માંસાહાર ગણવામાં આવ્યો છે. એટલે હું કંઈ લઈ શકતો નથી.” એવી જ રીતે પરસ્ત્રીગમન અંગે પણ તેમની કસોટી થઈ પિતે. પ્રતિજ્ઞાબદ્ધ હેવાથી તેમાંથી પણ પાર ઉતર્યા. એ અંગે ગાંધીજીએ પિતાની આત્મકથામાં લખ્યું છે: “પૂજ્ય માતાની અપાવેલ છે પ્રતિજ્ઞા રૂપી ઢાલ તે વખતે મારી પાસે હતી એટલે હું પ્રતિજ્ઞા અને પ્રભુકૃપાથી અનિષ્ટોમાંથી બચી શક્યો.” આવે છે પ્રતિજ્ઞાને ચમત્કાર. જેનોમાં તો વ્રતબદ્ધતાની બહુ જ કીંમત માનવામાં આવેલી છે. ' અમુક પ્રતિજ્ઞા લેતાં, અમુક અનિષ્ટથી બચી જવાયું. એવી વાત જણાવતા ઘણું કથાનકો જૈન કથાઓમાં મળી આવે છે. સુદર્શન શેઠ શીલની પ્રતિજ્ઞાના કારણે મોટા પ્રલોભનમાંથી બચી શક્યો એની મેટી વાર્તા છે. આજે જેમાં પ્રતિજ્ઞા અને પચ્છખાણે મોટા ભાગે રૂઢિગત થઈ ગયાં છે, તેની પાછળના ભાવ, સ્પષ્ટ રીતે સમજાવવામાં આવતું નથી; તે છતાયે એકંદરે પ્રતિજ્ઞાબદ્ધ થવાથી લાભ જ થાય છે. * વૈદિક ધર્મગ્રંથોમાં પણ “સંકલ્પ” લેવાનો મહિમા બતાવવામાં આવ્યો છે. સંક૯૫ કે પ્રતિજ્ઞા લીધા વગરનાં વતે સફળ થતાં નથી, નિષ્ફળ બને છે એ અનુભવ સિધ્ધ વાત છે. - ઘણાં લોકો એક બીજી દલીલ પણ આગળ મૂકે છે કે “અમે એકલા એકાંતમાં વ્રત–પ્રતિજ્ઞા લઈએ; સમાજ કે વડીલ અથવા ગુરુ વ.. સમક્ષ શા માટે લઈએ ?" આના પિતાનાં ભયસ્થાનો છે. ભારતીય ધર્મોમાં ખાસ કરીને જૈન ધર્મમાં વ્રત-ગ્રહણ-વિધિ જાહેરમાં, વડીલે, ગુરુ અને સમાજ સમક્ષ કરવામાં આવે છે. એને મેટો ફાયદો એ થાય છે કે કટોકટીના સમયે પણ વ્રત ઉપર ટકી શકાય છે; વ્રત-બંગ કરતાં સંકોચ પમાય છે. એટલું જ નહીં એ એક P.P. Ac. Gunratnasuri M.S. ". Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy