SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 176 ઢાલ રૂપે પણ બનીને રહે છે કે આટલા બધાની સામે પ્રતિજ્ઞા લીધી અને હવે તોડીશ તે મારું નામ રહેશે?' : ' જૈન સાધુઓને મોટી દીક્ષા આપતી વખતે ' વ્રતોચ્ચાર-વિધિ સમાજ સમક્ષ કરવામાં આવે છે. તેની પાછળનો એ હેતુ છે કે સમાજ એ વ્યક્તિને ઓળખી લે અને એના બદલે કોઈ બીજી વ્યક્તિ સાધુ– * વેશ લઈ પેસી ન જાય. એવી જ રીતે પ્રહસ્થો પણ વ્રત-ગ્રહણ કરવા માટે પ્રતિજ્ઞા સમાજ સમક્ષ લે છે જેથી સમાજ એને ઓળખીને એના ઉપર વિશ્વાસ મૂકી શકે. . . . . : : . આજે, જે કે બ્રહ્મચર્ય-વ્રત લેતી વખતે કે વ્રત-ઉપવાસના પચ્છખાણ લેતી વખતે ધર્મપ્રભાવનાની આડમાં, આડબર વધી. ગયો છે. ક્યાંક વડે કાઢવામાં આવે છે, કયાંક વતી તરફથી પ્રભાવના પરિગ્રહનું પ્રદર્શન કરીને વ્યકત કરવામાં આવે છે તે ક્યાંક મોટા પાયે, જમણવારે યોજાય છે. એમાં સુધારો કરી જે સાદાઈપૂર્વક ગુરુ પાસે, અને ગુરુ ન હોય તે વડીલ શ્રાવક પાસે સાધક વ્રત ગ્રહણ કરે તો તે વ્રતનિષ્ઠામાં સહાયક બનશે; નહીંતર વ્રતની ભાવના કરતાં પ્રદર્શનને વધારે મહત્વ અપાઈ જવાનો ભય રહેલો છે. ભારતીય લગ્નવિધિમાં વર-વધૂ, બન્નેનાં લગ્ન અગ્નિ, પાણી, વિ. પંચભૂતો અને પંચ સમક્ષ કરવામાં આવે છે તે પણ આજ દૃષ્ટિએ. સમાજ જાણી શકે કે પતિ-પત્નિ બને લગ્નગ્રંથિથી જોડાયા છે અને તેઓ મર્યાદા ભંગ કરતા હોય તો રોકી શકે અથવા જવાબદારીથી છટકવા માંગતા હોય તો ટકી શકે. આ રીતે વિશ્વવાત્સલ્યની ધર્મનિષ્ઠા, નીતિનિષ્ઠા પૂર્વક આચરવામાં આવે તો સમાજનું સુંદર ઘડતર થઈ શકે. * ચર્ચા -- વિચારણું ધર્મ એટલે સમાજને ટકાવી રાખનાર . શ્રી દુલેરાય માટલિયાએ વિધવાત્સલ્યની ધર્મનિષ્ઠા. અંગે ચર્ચા શરૂ કરતાં કહ્યું –જેના વિના ક્ષણભર પણ વિશ્વ અને સમાજ ન ટકી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy