SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાની વાત કરતા હતા; પણ વ્રતબદ્ધ ન હોવાથી તેઓ ચૂકયા અને તેમને બાળકો થયાં. તેમના પ્રત્યેની લોકોની શ્રદ્ધા ડગી ગઈ. રખે, કોઈ એમ માને કે બધા કાર્યકરે માટે બ્રહ્મચર્ય વ્રતબદ્ધ થવું ફરજિયાત છે; જે તે પાળી શકાય તે સારું છે પણ એક વખત સમાજ આગળ બ્રહ્મચર્ય—પાલનની વાત કર્યા બાદ તેને ન તડવી જોઈએ; સ્વનારી મર્યાદિત બ્રહ્મચર્ય હોય તે પણ તે વ્રતબદ્ધ હોવું જોઈએ. તેનાથી સમાજને તેના ઉપર વિશ્વાસ બેસશે. વ્રતબદ્ધ થયા વગર " જાને વ્રત પાલન કરી લેશું " એવી વાતો કરનારા મૂળમાં જ કાચા છે. પ્રતિજ્ઞાબદ્ધ થવાથી દઢતા આવે છે તેમજ મકિમ રહી શકાય છે અને વ્રતભંગ થવાને ટાળી શકાય છે. સાધના દ્વારા વિકાસ સાધી શકાય છે અને લોકશ્રદ્ધા પણ તેના ઉપર ટકે છે. - ચા પોતાની મેળે છોડશું એવી વાતું કરનારા ઢચુપચું રહે છે અને કોઈ માન-તાણ કરે તો તરત ત્યાં નમી પડે છે. પછી તેમને અલગ અલગ બહાનાં કરવાં પડે છે કે “ફલાણાભાઈ ન માન્યા !", “શરદી થઈ હતી” “ત્યાં આપણું કંઈ ન ચાલે!” અને એવી વાત કરી ચા પીવી પડી એનો સ્વીકાર લાચારીથી તેમને કરવો પડે છે.. ગાંધીજી વિલાયત જતા હતા ત્યારે તેમની બાએ, બેચરજી નામના જૈન સાધુ પાસે તેમને ત્રણ પ્રતિજ્ઞાઓ અપાવી હતીઃ "(1) દારૂ નહીં પીઉં (2) માંસાહાર નહીં કરું (3) પરસ્ત્રી ગમન નહીં કરું.” તેમની બાએ તેમને કહ્યું કે “તને જ્ઞાતિ બહાર કરે એનો મને ડર નથી પણ જે ભયના કારણે જ્ઞાતિ તને બહાર કરી શકે તેનાથી તું દૂર રહે! એટલે આ પ્રતિજ્ઞા લઈ તું જ્ઞાતિને વિશ્વાસ આપી દે તે જ્ઞાતિને જરૂર તારા ઉપર વિશ્વાસ બેસશે !" ગાંધીજીએ ત્રણ પ્રતિજ્ઞાઓ જરૂર સ્વીકારી. વિલાયત જતાં લોકોએ કહ્યું: “આતો ઠંડે મુલ્ક છે. અહીં તે માંસાહાર વગર ન ચાલી શકે !" 1. પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી ગાંધીજીએ શાકાહાર રાધીને લોકોને બતાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy