________________ 173 કરાવ્યું. લોકસેવકમાં વતનિષ્ઠા હશે તો જ તેઓ સમાજને વ્રતનિષ્ઠા તરફ દોરી શકશે. વળી ઉચ્ચ સાધકો સાધુ સાધ્વીઓ તેમજ સન્યાસીઓના : જીવનમાં પણ એ બધા વ્રતની પૂર્ણનિષ્ઠા હશે તો જ તેઓ સમાજનાં બધાં અંગોને માર્ગદર્શન, પ્રેરણ, ઉપદેશ કે આદેશ આપી શકશે.. . : ઘણું લોકો વ્રતનિષ્ઠા રાખે છે; વ્રત ગ્રહણ કરે છે પણ વ્રતબદ્ધ. - થતા નથી. એવા કેટલાક યુવાન લોકો કે કાર્યકરો દલીલ કરે છે કે " “અમે પિતાની મેળે જ વ્રતો પાળશું; પ્રતિજ્ઞામાં બંધાઇને શું કરવું છે? જે પ્રતિજ્ઞામાં બંધાઈ એ તો સંકટ ટાણે પ્રતિજ્ઞા તેડવી પડે, માટે : પ્રતિજ્ઞા ન લઈને ખુલ્લાં રહેવામાં શું વાંધો છે ! મહાત્મા ગાંધીજીએ રે એનો સખ્ત વિરોધ કર્યો હતો. જે સાધક કે સેવક વ્રત (પ્રતિજ્ઞા) બદ્ધ : થતો નથી. તે સમય આવે ઢચુપચુ થઈ જાય છે, અને સમાજ એવાને : કોઈપણ કાર્યની જવાબદારી ન જ સોંપી શકે ! તેના ઉપર કઈ રીતે વિશ્વાસ બેસે!” . . . " * એ અંગે ગાંધીજીએ એક દાખલો પણ આપે : એક માણસે દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી છે. બિમારીના પ્રસંગે ડોકટર દારૂ પીવાનું કહે છે. આ અપવાદ છે પણ પ્રશ્ન એ છે કે શું દારૂ પીવાથી તે બચી જશે ખરે!, અથવા કોઈ દેશી વનસ્પતિથી ઠીક ન થઈ શકે ! એની ગેરંટી છે?” એટલે જે વ્રતબદ્ધ થતો નથી તે છેવટે ઢીલો પડી જાય.' છે. આ રીતે પતન પામેલા અને સ્કૂલન થયેલાના ઘણા દાખલાઓ , સમાજમાં બને છે. પૂ. મુનિશ્રી સંતબાલજીના પ્રસંગમાં એક કાર્યકર્તા આવ્યા. તેઓ બહુ હોંશિયાર, પ્રામાણિક અને બુદ્ધિશાળી હતા; પણ બ્રહ્મચર્ય માટે વ્રતબદ્ધ ન થયા. પિતે પાળીશ એમ તેઓ કહેતા. પાછળથી તેઓ ડગી ગયા; તેમના પત્ની પણ વ્રતબંદ્ધ ન હોવાથી; તેમને સંતાન થયા. . મેવાડમાં અમારે એક ભાઈનો સંપર્ક થયો. ઉત્સાહી, સેવાભાવી અને બ્રહ્મચર્ય તરફ નિષ્ઠાવાળા દેખાતા હતા. તેમણે બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરી. લોકોએ તેમને મદદ પણ કરી. તેઓ પણ જાતે બ્રહ્મચર્ય વ્રત પાલન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust