________________ 150 લેવી. જે ડખલગીરી કર્યાવગર ચાલી-ચલાવીને સરકાર મદદ આપે તે તેને સ્વીકાર કરશે પણ, દબાણમાં આવીને સ્વીકારશે નહીં. (6) પુણ્ય કરતાં ધર્મની મુખ્યતા : ઉપરની વાતો અંગેથી જે છઠું સૂત્ર સામે આવે છે તે એ છે કે વિશ્વ વાત્સલ્યને સાધક પુણ્યના (રાહતના આર્થિક મદદના) કામ કરતાં વ્યાપક ધર્મ (ક્રાંતિના એટલે સત્ય, અહિંસા, ન્યાય વ. યુક્ત ધર્મતત્વ)ના કાર્યને મુખ્ય ગણશે. આને અર્થ એવો નથી કે સંસ્થાઓ અનિવાર્ય પુણ્યનાં કામોને છોડી દેશે. સામાન્ય કાળમાં તે એ કામો ચાલતાં જ રહેશે; પણ વિશેષ પ્રસંગ આવે ત્યારે રાહતના કામોને ગૌણ ગણી ધર્મનાં કાર્યમાં સાધક ઝંપલાવશે. અન્યાય, અત્યાચારને અહિંસક રીતે પ્રતિકાર કરવા માટે તપ-ત્યાગ-બલિદાનને - પ્રસંગ આવે કે કટોકટી અથવા તોફાનને પ્રસંગ આવે તો તેને મુખ્ય સ્થાન સાધકે આપવું જોઈશે. આનું કારણ એ છે કે માત્ર રાહતના કામથી જનતાની નૈતિક શકિત જાગૃત થતી નથી. ઘણીવાર રાહત આર્થિક મદદ વગેરેથી જનતા તેવી વૃત્તિવાળી અને પામર બની જાય છે.. કાર્યકરો પણ સંઘર્ષથી ડરીને અત્યાચાર, અન્યાય વ. અનિષ્ટ ચાલતાં હોય છતાં ન સેવે છે કે કંટાળીને ભાગી છૂટે છે. એથી દાંડ તોને છૂટો દોર મળે છે અને અન્યાયો અકબંધ ચાલ્યા કરે છે. માત્ર રાહત આપવાથી લોકોમાં લઘુ (હીન) ગ્રંથિ પ્રવેશે છે અને રાહત આપનારમાં ગુરુ (ગૌરવ) ગ્રંથિ પસી જાય છે. આવું ન થાય તે માટે સાધકે હંમેશાં ધર્મને પ્રધાનતા આપવી જોઈએ. એ માટે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘને દાખલો જોઈ જવા જેવો છે. તેણે રાહતનાં કાર્યો ચાલુ રાખ્યાં છે. શિયાળામાં આરોગ્ય માટે વિશ્વવત્સલ ઔષધાલય ચાલે છે. શિક્ષણ માટે ગૂદી અને સાણંદમાં સંસ્થાઓ ચાલે છે. ખાદી ગ્રામોદ્યોગ માટે ગૂંદીમાં સંસ્થા ચાલે છે. તેમજ ખેડૂત - ગોપાલકોનાં મંડળ ચાલે છે. પણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust