________________ 148 * ત્યાં જન સંગઠન અને જનસેવક સંગઠન ગોઠવ્યો અને ત્યાંને ઉકેલ આણ્યો. આ સંસ્થાઓ અગાઉ નહતી. ' રાજસ્થાનમાં સર્વોદય કાર્યકરેએ કહ્યું “ગ્રેસની વાત છોડી દે! બાકી બધી પેજના બરાબર છે. કોંગ્રેસને ટેકો આપવાની વાત છોડે તો અમે તમને સહગ આપી શકીએ!” . . . : પણ, એ તો પાયાની વાત હતી. જે તેને છેડવામાં આવે તો આખો પાયો ડગમગી જાય. સંઘર્ષ થશે એટલે ડરીને ભાગવાથી શુદ્ધિ કેવી રીતે થાય? એટલે વિશ્વવાત્સલ્યને સાધકે ચારે સંસ્થાના અનુબંધને સર્વાગી ક્રાંતિ માટે મહત્વ આપવું જોઈએ અને તેમાં જરા પણ ગફલત ન રાખવી જોઈએ. , ભાલ નળ કાંઠા પ્રયોગમાં એક ખૂબી એ પણ છે કે ત્યાં ઘણી સંસ્થાઓ ચાલે છે. ત્યાં જે કર્તવ્યભાવે કે પ્રાયશ્ચિતરૂપે મદદ આપે છે તેની મદદ માનભેર સ્વીકારવામાં આવે છે પણ, તેની કોઈ જાહેરાત થતી નથી; છાપામાં નામ અપાતું નથી કે પાટિયાં લગાડવામાં આવતાં નથી. (5) ધર્મદષ્ટિએ સત સ્વાવલંબન : ; વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું પાચમું સૂત્ર છે કે ગામડાઓ કે શહેરમાં સપ્ત સ્વાવલંબનનું કાર્ય ધર્મદ્રષ્ટિએ ચાલશે, માત્ર અર્થદષ્ટિએ નહીં. એમાં આર્થિક દષ્ટિએ નબળા માટે સબળાને ઘસાવાનું આવશે પણ તે ધર્મ કર્તવ્ય કે પ્રાયશ્ચિયતની ભાવનાએ જ. જે સ્વાવલંબનનું કાર્ય આર્થિક દૃષ્ટિએ ચાલે તો તેમાં સરકારી હપ્તાઓ કે મદદ લઈને ચલાવવાનું થાય. એથી કાર્યકરોની દૃષ્ટિ કેવળ પગાર પૂરતી જ રહે અથવા ગરીબોને રેજી મળે છે એ પૂરતી રહે. પણે અહીં તો ગામડાઓએ મળીને નૈતિક શક્તિ જાગૃત કરી સપ્ત સ્વાવલંબન સાધવાનું છે, ગામડાંઓએ કૌટુંબિક ભાવનાઓથી બંધાવાનું છે તે ધર્મદષ્ટિએજ શક્ય છે. એનો અર્થ એવો નથી કે સરકારી મદદ ન આર્થિક જિમ થી કાર્ય છે એ પૂરતી છે સપ્ત સ તે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust