________________ 148 હશે તે સ્થાને અને તે ક્ષેત્રમાં તેને રહેવા દેશે. જે એ ચારમાંથી કોઈક અયોગ્ય રીતે આગળ આવી હશે કે કોઈકે વધારે ક્ષેત્રે આંચકી લીધાં હશે તે તે તેને યોગ્ય સ્થાને અને યોગ્ય ક્ષેત્રે ગઠવવા સતત પુરુષાર્થ કરશે. દા. ત. કોંગ્રેસને લઈએ. અનુબંધ પ્રમાણે તેને ક્રમ ચોથો આવે છે પણ એણે પહેલું સ્થાન લઈ લીધું છે એટલું જ નહીં; જોઈએ તેના કરતાં વધારે ક્ષેત્રો-સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક-તેણે . આંચકી લીધા છે, તે તે ક્ષેત્રોને યોગ્ય સંસ્થાઓને અપાવવાનો પ્રયત્ન ભાલ નળકાંઠો પ્રયોગમાં ચાલુ છે. કોંગ્રેસ માત્ર રાજકીય સંસ્થા તરીકે રાજકીય ક્ષેત્રમાં કામ કરે તો જ તે હળવી થઈને નીતિનિષ્ઠ બની શકશે અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં સંસ્થાનવાદ મુક્તિ, પંચશીલ વિ. નાં કાર્યો સારી પેઠે કરી શકશે. . . . ! [4] જ્યાં અનુબંધ ચતુષ્ટયમાં કોઈ એક સંસ્થાને અનુબંધ ન હોય ત્યાં તેની અવેજી પૂરવી; કારણ કે જ્યાં અવકાશ રહેશે ત્યાં તરત પિલ જોઈ બીજું અનિષ્ટકારક બળ પસી જશે. અહીં જરા જેટલી ઉપેક્ષા સેવવાથી અનર્થ થવાનો સંભવ છે. . . " . " પારડીમાં ઘાસિયા મજૂરોને પ્રશ્ન ઘણો જે ગુંચવાએલો હતો. પૂ. મુનિશ્રી સંતબાલજી ત્યાં ગયા. એમણે પ્રશ્નને સારી પેઠે અભ્યાસ કર્યો, સુરત જિલ્લા પ્રાયગિક સંઘ” તે વખતે ઊગતો જ હતો. કોંગ્રેસનું ત્યાં ઠેકાણું નહતું અને પ્રજા સમાજવાદી પક્ષ સત્તા માટે કામ કરતાં હતા. મહારાજશ્રીએ એ બધું જોયું. તેમણે પારડીમાં એક જાહેર સભા બોલાવી અને તે પ્રશ્નને સચોટ ઉકેલ બતાવ્યો. લોકોને તે ગમે પણ તેમણે કહ્યું : આ પ્રશ્નમાં પ્રજાસમાજવાદી લોકો પ્રારંભથી મથતા આવ્યા છે માટે : તેમને બોલાવવા જોઈએ.” મહારાજશ્રીએ અનુબંધ દ્રષ્ટિ સામે રાખીને કહ્યું : “તેઓ સહેજ આવે તો તે જુદી વાત છે પણ આપણે તેમને બેલાવીને પ્રતિષ્ઠા આપી શકીએ નહીં.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust